શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ રામમંદિર ટ્રસ્ટને પત્ર લખ્યો છે. જેમાં તેઓ કહ્યું કે બાલા સાહેબ ઠાકરેનું રામ મંદિરનું સપનું પૂર્ણ થયું છે. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ એક કરોડ આપવાની જાહેરાત પણ કરી હતી. જેને 27 જુલાઇએ બેંકમાં જમા પણ કરાવ્યા છે.
ફરીવાર શિવસેનાએ અયોધ્યાને લઇને આપ્યું નિવેદન
સંજય રાઉતે કહ્યું કે,ઉદ્ધવજી જ્યારે ઇચ્છે ત્યારે અયોધ્યા પહોચી શકે
ઉલ્લેખનીય છે કે, ઉદ્ધવ ઠાકરે ભૂમિપૂજનમાં હાજર નહીં રહે. જો કે આ અંગે શિવસેનાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને કોઈના આમંત્રણની જરૂર નથી. ઉદ્ધવજી જ્યારે ઇચ્છે ત્યારે અયોધ્યા પહોચી શકે છે. તેઓ અગાઉ ત્રણવાર અયોધ્યા આવી ચૂક્યા છે.
ઉદ્ધવ જ્યારે ઇચ્છે ત્યારે જઇ શકે છે અયોધ્યા
Uddhav Thackeray visited Ayodhya after taking oath as the Maharashtra Chief Minister. Shiv Sena has removed the obstacles in the path of construction of Ram Temple. No invitation is needed to visit Ayodhya: Shiv Sena MP Sanjay Raut pic.twitter.com/ur1UrZlPcb
શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જ નિર્ણય લેશે કે તેઓ અયોધ્યા જશે કે નહીં. જણાવી દઈએ કે પીએમ મોદી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનમાં ભાગ લેવાના છે. આ માટે મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. શિવસેના દ્વારા રામ મંદિરના નિર્માણનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. એક વખત તે ભાજપ સાથે આ માટે પ્રતિબદ્ધ હતી.
અયોધ્યામાં ચાલી રહી છે આવી તૈયારીઓ
108 જગ્યાઓએ થશે સુંદરકાંડના પાઠ.
5100 ધ્વજ લગાવવામાં આવશે.
મંદિરથી સરયૂ ઘાટ સુધી વિશેષ સજાવટ કરાઈ છે.
અયોધ્યાના દરેક મંદિરો અને શિવાલયોમાં કળશ સજાવાશે અને તેને શણગારાયા છે.
150 ક્વિન્ટલ ફૂલોથી સજાવાશે. આ સાથે રાજસ્થાનથી ખાસ પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે.
ભૂમિપૂજનનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરાશે. આ માટે મંદિરથી 2-4 કીમીના વિસ્તારોમાં ટીવી લગાવાયા છે.
આવતીકાલે અયોધ્યાના દરેક ઘરમાં 4 લાડુનું એક પેકેટ પહોંચશે. કુલ 14 લાખ લાડુ બનાવવામાં આવ્યા છે. તેને સાડા ત્રણ લાખ પેકેટમાં ભરવામાં આવ્યા છે.
આવતીકાલે પીએમ મોદી અહીં 32 સેકંડના શુભ મૂહૂર્તમાં શિલાન્યાસ કરશે.
મંદિરના ભૂમિપૂજનને લઈને યૂપી સરકારે ખાસ ગાઈડલાઈન તૈયાર કરી છે. જેના આધારે મંદિરની આસપાસના 300 ઘરના લોકો ઘરના ઉંબરા સુધી જ સીમિત રહેશે.
175 મહેમાનો આવશે. 135 સાધુ સંતો સિવાય અન્ય અતિથિઓ હશે.
કાર્યક્રમમાં મુખ્ય મંચ પર પીએમ મોદી, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની સાથે રાજ્યપાલ આનંદીબેન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે.
મંદિર નિર્માણ સમયે રામલલાને લીલા રંગના ખાસ પોશાક પહેરાવાશે. તે સમૃદ્ધિનું પ્રતીક છે અને સાથે બુધવારનો રંગ પણ લીલો હોય છે. આ કારણે નવ રત્નજડિત મખમલનો પોશાક લલાને ધરાવાશે.
100 કરોડના ખર્ચે બનનારા રામ મંદિરને માટે ભક્ત ટ્રસ્ટને દાન મોકલી રહ્યા છે. અત્યારસુધી દાનની મદદથી લગભગ 18 કરોડ રૂપિયા મળ્યા છે.
રામલલાને ચાંદીની ઈંટ ભેટ કરવાની જાહેરાત કરાઈ છે. ટ્રસ્ટ ઈંટની ગણતરી કરી રહ્યું છે જે રેકોર્ડમાં છે. અત્યારસુધી ક્વિન્ટલથી પણ વધારે ચાંદીની શિલાઓ આવી છે. લગભગ 500થી વધારે કળશ કાર્યાલય પહોંચ્યા છે. તેનાથી એક આખો રૂમ ભરાઈ ચૂક્યો છે.
મંદિરને ડિઝાઈન કરનારા ગુજરાતના સોમપુરા અને તેમના પરિવારની. તેમનો પરિવાર 15 પેઢીથી મંદિર ડિઝાઈન કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં પરિવારે 131 મંદિરો ડિઝાઈન કર્યા છે.
મંદિરમાં 318 સ્તંભ હશે. નવી ડિઝાઈનની રીતે મંદિરની પહોળાઈ 235 ફીટ અને લંબાઈ 360 ફીટ હશે.ઉંચાઈ 161 ફીટ રહેશે. મંદિરના ગર્ભગૃહમાં પહેલાં 3 શિખર સ્થાન રહેશે. પહેલાં ભજન કીર્તનનું સ્થાન, બીજામાં ધ્યાન અને ત્રીજામાં રામલલાના દર્શનની વ્યવસ્થા હશે.
મંદિર નિર્માણ માટે ખાસ પત્થર મંગાવાયા છે. ઈતિહાસને સાચવીને રાખનારી ટાઈમ કેપ્સ્યૂલ પણ મંદિરને લઈને ચર્ચામાં છે.
સીમા પર ખાસ સુરક્ષા કરાઈ છે. અન્ય જગ્યાઓએથી આવનારા લોકો પર રોક લગાવાઈ છે.