મુંબઇ: શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાના કશ્મીર પરના ભાષણ અંગે પ્રહાર કર્યો છે. સંજય રાઉતે પાકિસ્તાનને નિશાને લેતા કહ્યું કે પાકિસ્તાન સાથે બોલીનો નહીં પણ ગોળીનો વ્યવહાર કરવો જોઈએ.
તો મોદી સરકાર પર પણ કટાક્ષ કરતા કહ્યું કે સરકારના પાંચ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને જ્યારે તેઓ વોટ માગવા આવ્યા હતા ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે કશ્મીરનો મુદ્દો સોલ્વ કરવા માટે 56 ઈંચની છાતી જોઈએ.
The manner in which Pakistan Army Chief has threatened the PM & Defence Minister should be asked about it. Before election BJP & the PM had said they will make Pakistan Occupied Kashmir a part of India. We would like to ask the PM about it: Sanjay Raut Shiv Sena pic.twitter.com/FVD0YCRfph
ઉલ્લેખનીય છે કે દેશના લોકો તમને શોધી રહ્યા છે કે ક્યાં ગઈ તમારી હિંમત અને તાકાત. આપને જણાવી દઇએ કે પાકિસ્તાનના આર્મી ચીફ કમરજાવેદ બાજવાએ પાકિસ્તાન રક્ષા દિવસે નિવેદન આપ્યુ હતું કે કશ્મીરની આઝાદી માટે લડી રહેલા કશ્મીરીઓની કુરબાનીઓને સલામ. જે બાદ સંજય રાઉતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
આપને જણાવી દઇએ કે પાકિસ્તાને ભારતે શાંતિનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ ફરી એકવાર કશ્મીરનો રાગ છેડયો હતો. ભારત સાથેના 1965ના યુદ્ધની 53મી વર્ષગાંઠના પ્રસંગે પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ કહ્યું કે કશ્મીરમાં ભાઈઓ અને બહેનો દ્વારા તેમની આઝાદીની લડાઈમાં આપવામાં આવતી કુરબાની માટે સલામ કરીએ છીએ.