વિપક્ષની ભૂમિકા પર સવાલ ઉઠાવતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન મોદી સાથે તેમની કોઈ અંગત દુશ્મની નથી.
શિવસેના નેતાનું મોટું નિવેદન
રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આપ્યું આ નિવેદન
વિપક્ષની ભૂમિકા પર કહ્યું, વડાપ્રધાન સાથે અંગત દુશ્મની નથી
શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે આજે પત્રકારો સાથેની વાતચીતમાં કોરોના સંદર્ભમાં વિપક્ષ ભાજપની ભૂમિકા પર પ્રશ્નો ઊભા કરતાં કહ્યું હતું કે તેમની કેન્દ્ર સરકાર અને પીએમ મોદી સાથે તેમની કોઈ અંગત દુશ્મનાવટ નથી, પરંતુ મહારાષ્ટ્રનું ભાજપનું નેતૃત્વ માત્ર આ લીધે છે, અને રાજ્ય સરકારની કામગીરી પર ટિપ્પણી કરવાની કરે છે જેની કોઈ જ આવશ્યકતા નથી કારણ કે તેમની પાસે સત્તા નથી.
આ લોકતંત્ર માટે સારું નથી
વધુમાં શિવસેના નેતાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એકતા અને સ્વસ્થ સંસદીય લોકતંત્ર માટે આ સારું નથી. જો કોરોનાને કારણે મહારાષ્ટ્રને ઠોકર લાગશે, તો દેશને પણ તકલીફ પડશે. વિપક્ષી(ભાજપ) નેતાઓએ આ સમજી લેવું જોઈએ.
દરમિયાન, તેમણે મહારાષ્ટ્રમાં સંભવિત લોકડાઉનનાં નિર્ણયને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો સીએમ ઠાકરે લોકડાઉનનો નિર્ણય લે તો તેઓ આમ કરવામાં પ્રસન્ન નહીં હોય. આપાતકાલીન સ્થિતિનીઅંદર પીએમ અને સીએમ માટે આવો નિર્ણય લેવો જરૂરી બની જાય છે. આવા સમયે, આપણાં દ્રષ્ટિકોણ જુદા હોઈ શકે, પરંતુ સરકારમાં સામેલ પક્ષો અને વિપક્ષી પાર્ટીથી સીએમની પાછળ ઊભી રહેવાની આશા હોય છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીને લોકડાઉન અંગે નિર્ણય લેવાનો અધિકાર છે.
શિવસેના નેતાએ જણાવ્યું હતું કે કોરોના સંકટમાં મહારાષ્ટ્રના કાર્યોની પ્રશંસા થવી જોઈએ. તે સાચી વાત છે કે મહારાષ્ટ્રમાં સંક્રમણ વધી રહ્યું છે, પણ તે જાણવું પણ એટલું જ જરૂરી છે કે મહારાષ્ટ્રમાં ટેસ્ટિંગમાં ઝડપથી વધારો થયો છે અને તેના કારણે કેસના આંકડા પણ વધુ આવી રહ્યા છે. બીજા રાજ્યોમાં આટલું ટેસ્ટિંગ નથી થઈ રહ્યું. દરમિયાનમાં આજે પણ મુંબઈ અને મહારાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક કોરોના કેસો નોંધાતા તંત્ર સાબદું બની ગયું હતું. મુંબઇમાં આજે 11,776 અને મહારાષ્ટ્રમાં આજે 57,074 જેટલા નવા કેસ આવ્યા હતા, જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.