મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉત સતત એક છેડેથી મોર્ચો સંભાળતા જોવા મળી રહ્યા છે. તેમણે ફરી એક વાર એકનાથ શિંદે જૂથને કહ્યું છે, કે પાછા આવી જાવ.
મહારાષ્ટ્રમાં હજૂ પણ ચાલી રહ્યું છે રાજકીય સંકટ
સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને આપી ધમકી
પાછા આવી જવા વિનંતી કરી, નહીંતર...
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉત સતત નિવેદનો આપી રહ્યા છે. શનિવારે તેમણે કહ્યું કે, શિવસેનાની આજે થનારી કાર્યકારીણીની બેઠક ખૂબ જ મહત્વની છે. આ બેઠકમાં કેટલાય નિર્ણયો થવાના છે. આ પાર્ટી રાજ્ય અને દેશમાં બહું મોટી પાર્ટી છે. આ પાર્ટીને બનાવામાં બાળાસાહેબ., ઉદ્ધવજી અને તમામ કાર્યકર્તાઓએ લોહી પરસેવો એક કર્યો છે. રાઉતે પોતાના નિવેદનમાં કહ્યું કે, શિવસેના પર આસાનીથી કોઈ પંજો મારી શકે નહીં, એકનાથ શિંદે તરફ ઈશારો કરતા તેમણે કહ્યુ કે, પૈસાના જોરે કોઈ પાર્ટી ખરીદી શકે નહીં. હાલમાં જ સંકટ છે, તેને અમે સંકટ નથી માનતા, પણ અમારા માટે પાર્ટી વિસ્તારનો આ બહુ મોટો અવસર છે.
શિવસૈનિકોએ ધીરજ રાખી છે, નહીંતર અનેક શહેરોમાં આગ ફાટી નિકળે
સંજય રાઉતે ફરી એક વાર બળવાખોર ધારાસભ્યોને ઈશારામાં ધમકી આપી દીધી છે. તેમણે કહ્યુ કે, શિવસૈનિકોએ ધૈર્ય રાખ્યું છે, નહીંતર શહેરોમાં આગ લાગી જાય. એટલા માટે આપને કહી રહ્યા છીએ કે, પાછા આવી જાવ. સંજય રાઉતે એકનાથ શિંદે જૂથના સંદર્ભમાં કહ્યું છે કે, તેઓ જે દાવા કરી રહ્યા છે, તેમને કરવા દો. નંબર્સમાં કોની પાસે કેટલી તાકાત છે, તે ફ્લોર પર દેખાશે. હું સીએમ ઉદ્ધવ ઠાકરે તરફથી બોલી રહ્યો છું, તે યાદ રાખજો.
પાર્ટી અમારા લોહીથી બની છે, એમ જ કોઈ હાઈજૈક કરી શકે નહીં
સંજય રાઉતે કહ્યું કે, આજે અમારી કાર્યકારીણીની બેઠકમાં ઘણા બધાં મુદદ્દા પર ચર્ચા થશે, તેમાં નવી નિમણૂંક, વિસ્તાર વિશે પણ ચર્ચા થશે. આ પાર્ટી અમારા લોહીથી બની છે, એમ જો કોઈ આવીને હાઈજૈક કરી શકે નહીં, આ પાર્ટીને પૈસાના દમ પર ખતમ કરી શકાય નહીં.
આપને વિનંતી છે કે, પાછા આવી જાવ, નહીંતર રસ્તાઓ પર આગ ફાટી નિકળશે
સંજય રાઉતે કહ્યું કે, શરદ પવાર સામે જ્યારે બેઠક થઈ રહી હતી, ત્યારે ત્યાં 10 ધારાસભ્યોના ફોન આવ્યા હતા, એટલા માટે વ્યર્થની વાત રહેવા દો, અમે આપને ફરી વાર ભલામણ કરીએ છીએ કે, આપ પાછા આવી જાઓ, આપ મહારાષ્ટ્રની બહાર છો, ત્યાં સુધી સૈફ છો, જો શિવસૈનિકો રસ્તા પર ઉતરી આવશે, તો ભારે પડશે.