બોલિવૂડની પંગા ક્વિન કંગના રનૌત આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં ખુલીને બોલનાર કંગના કેટલાક લોકોના નિશાને આવી હતી અને ટ્વિટર વૉર શરૂ થઇ ગયો હતો. હાલમાં જ કંગનાએ સંજય રાઉત ઉપર નિશાન સાધ્યુ હતુ. સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે.
કંગનાના નિવેદન પર આપી પ્રતિક્રિયા
સંજય રાઉતે કહ્યું કંગના મેન્ટલ કેસ
બોલિવૂડમાં સુશાંતના મોત બાદ ખળભળાટ
કંગનાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હું 9 સપ્ટેમ્બરે મુંબઇ પાછી આવીશ, કોઇના બાપમાં તાકાત હોય તો તે મને રોકીને બતાવે. જેના પર પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે 'કંગના મેન્ટ કેસ' છે.
તમને જણાવી દઇએ કે, કંગનાએ મુંબઇને પીઓકે ગણાવી દીધુ હતુ. સંજયે કહ્યું કે કંગના જે થાળીમાં ખાય છે તે થાળીમાં થૂંકે છે. કેટલાક રાજનૈતિક પરિબળ છે જે કંગનાને સપોર્ટ કરે છે. જો તેને પીઓકે જવુ હોય તો જવા દો.
ભારત સરકારે તેની પીઓકેની ટ્રીપ સ્પોન્સર કરવી જોઇએ, જો સરકાર આ કામ ન કરી શકે તો અમે તેની આ ટ્રીપને સ્પોન્સર કરીશું, હવે તો સરકારે પણ કહી દીધુ છે કે પીઓકે આપણા દેશનો ભાગ છે તો કંગનાને શેના વિશે વાત કરી રહી છે તે સમજાતું નથી. મોદી સાહેબે સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી તો કંગના કોના તરફ છે. તે આતંકવાદીઓ તરફ છે કે ભારત સરકાર તરફ, તેનુ મેન્ટલ સ્ટેટ શું છે?
શું છે સમગ્ર મામલો ?
કંગનાએ એક ટ્વીટ કરી છે કે, મને ખબર છે કેટલાક લોકો મને ધમકીઓ આપી રહ્યા છે કે મારે મુંબઇ પાછુ ન આવવુ જોઇએ, માટે મેં નિર્ણય કર્યો છે કે હવે 9 સપ્ટેમ્બર હું મુંબઇ પાછી આવીશ. જ્યારે હું મુંબઇ એરપોર્ટ પર ઉતરીશ ત્યારે સમય પણ શૅર કરીશ, કોઇના બાપની તાકાત હોય તો રોકી લો.
કંગનાની આ ટ્વિટ બાદ લોકો તેના સપોર્ટમાં ઉતર્યા છે અને તેને સિંહણ અને ક્વિન નામે સંબોધી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે ગુરુવારે કંગનાએ ટ્વિટ કર્યુ હતુ કે શિવસેના નેતા સંજય રાઉતે તેને ખુલ્લી ધમકી આપી છે અને કહ્યું છે કે મુંબઇ પાછી ન આવતી.
કંગનાની આ ટ્વિટ પર શિવસેનાના સામનામાં તેની આલોચના કરવામાં આવી હતી. લખવામાં આવ્યું હતુ કે, અમે કંગનાને નિવેદન કરીએ છીએ કે, તે હવે પાછી મુંબઇ ન આવે. મુંબઇમાં રહીને મુંબઇ પોલિસની આલોચના કરવા માટે ગૃહમંત્રાલયે તેના પર કાર્યવાહી કરવી જોઇએ.