શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ સાથે પોતાની પાર્ટીનું ગઠબંધન કરાવીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં રાઉતે જણાવ્યું કે ભાજપે વાયદો જે કર્યો હતો તે તો તોડ્યો જ હતો. પરંતુ સાથે સાથે રાજ્યમાં 'સફાયો' કરવાની પણ કોશિશ કરી હતી. આ કારણે શિવસેનાએ ભાજપથી સંબંધ તોડી નાંખ્યો હતો.
હાલમાં જ નાગપુર જિલ્લા પરિષદ ચૂંટણીમાં ભાજપને હાર મળી
ભાજપ શિવસેનાને ખતમ કરવાની કોશિશ કરી રહી હતી
વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે અહીં 2 સીટો કબજે કરી હતી
ઈન્ટરવ્યૂમાં સંજય રાઉતે એ પણ દાવો કર્યો કે આ કારણથી ગઠબંધન સરકાર દરમ્યાન લેવામાં આવેલા કેટલાંક જૂના નિર્ણયો હવે શિવસેના બદલી રહી છે.
હાલમાં જ નાગપુર જિલ્લા પરિષદ ચૂંટણીમાં ભાજપને હાર મળી છે તેના પર રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમને તેમના જ ગઢમાં હરાવ્યાં છે. આ લોકોએ એવો માહોલ બનાવ્યો હતો કે ભાજપને નાગપુરમાં ક્યારેય હરાવી જ ન શાકય. RSSનું મુખ્યાલય ત્યાં છે, નીતિન ગડકરી ત્યાંના મોટા નેતા છે. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ત્યાંથી જ છે. છતાં તેઓ અહીં હારી ગયા છે. આ સંકેત લોકસભા ચૂંટણીથી જ મળવા લાગ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે અહીં 2 સીટો કબજે કરી હતી.
ભાજપથી લોકો કંટાળી ગયા છે
સંજય રાઉતે આગળ કહ્યું કે ભાજપે લોકોને રોજગારી, ખેડૂતોની આવક જેવા મુદ્દાઓ પર કોઈ કામ નથી કર્યુ. તે વાયદાઓ પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. લોકો એકના એક ભાષણોથી કંટાળી ગયા છીએ.
ભાજપ શિવસેનાને ખતમ કરવાની કોશિશ કરી રહી હતી
રાઉતે કહ્યું કે ગઠબંધનની જરૂરિયાત હોય ત્યારે તમે વાયદાઓ કરો છો અને બાદમાં તેને પૂરા કરવાનું ભૂલી જાઓ છો. આ એક દગો છે. જ્યારે તેઓ અમારી સાથે સત્તામાં હતા ત્યારે તેમણે પૂરી કોશિશ કરી હતી કે ચૂંટણી કે ક્યાંય પણ અમારો વિકાસ ન થઈ શકે. તેમનો વિચાર હતો કે મહારાષ્ટ્રમાં માત્ર તેમની જ પાર્ટી (ભાજપ) જ આગળ વધવી જોઈએ. આ પ્રકારની વિચારધાર ખોટી છે.
એટલે જ ભાજપના નિર્ણયોને પલટી રહી છે શિવસેના
તેમણે કહ્યું કે ભાજપ અમારી સાથે સત્તામાં હોવા છતાં અમારો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યાં હતાં. તેમના કેટલાંય નિર્ણયો પર અમે વિરોધ કર્યો હતો છતાં તેઓ બહુમત હોવાને કારણે અમને નજરઅંદાજ કરતા હતાં. આ કારણે જ અમે તેમના નિર્ણયો અત્યારે પલટી રહ્યાં છીએ.
ભીમા કોરેગાંવ અને જજ લોયાના મામલે નહીં કહીં શકું: રાઉત
આ બંને મામલે રાઉતે કહ્યું હતું કે આ મામલો રાજ્ય સરકારથી જોડાયેલો છું. હું સરકારનો હિસ્સો નથી અને એટલે જ આ મુદ્દે હું કંઈ નહીં બોલી શકું. આ મુદ્દે મારી શરદ પવારજી સાથે વાત થઈ હતી પરંતુ હું તમને તેની માહિતી નહીં આપી શકું.