શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત સોમવારે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ ના થયા. એવા ક્યાસ લગાવાઇ રહ્યા છે કે, પોતાના ભાઇ સુનીલ રાઉતને કેબિનેટમાં જગ્યા ન આપવાને કારણે સંજય રાઉત પાર્ટીથી નારાજ દેખાઇ રહ્યા છે. જોકે, હજુ સુધી રાઉતે આ મામલામાં ખુલીને કંઇ કહ્યું નથી.
રાજ્યસભા સાંસદ સંજય રાઉત પોતાની પાર્ટીથી નારાજ
પોતાના ભાઇ સુનીલ રાઉતને કેબિનેટમાં જગ્યા ન આપવાને કારણે નારાજ
આજે ઉદ્ધવ ઠાકરે સરકારમાં કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો
રાઉતને જ્યારે સુનીલના કેબિનેટમાં જગ્યા ન આપવાને લઇને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે આ ત્રણ પાર્ટીઓની સરકાર છે અને દરેક પાર્ટીઓમાં યોગ્ય લોકો હાજર છે. એવામાં સૌએ નિર્ધારિત ક્વોટાને સ્વીકાર કરવાનો હોય છે.
તેઓએ કહ્યું કે, તેઓ ખુશ છે કે ઉદ્ધવ ઠાકરે પ્રદેશના સીએમ છે. રાઉતે આગળ કહ્યું, હું અને મારો પરિવાર હંમેશાથી શિવસેનાની સાથે છીએ. અમે ઠાકરે પરિવાર પ્રત્યે નિષ્ઠા રાખીએ છીએ અને અમે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં પોતાની ભૂમિકા નિભાવી છે.
Shiv Sena's Sanjay Raut on #MaharashtraCabinetExpansion: People should understand that we don't have many options since it's a govt of 3 parties,there are capable people in all 3 parties.Our people must stay a little patient. It's a matter of happiness that Uddhav Thackeray is CM pic.twitter.com/iPZzkc7R5m
શિવસેના ઉપરાંત વિપક્ષી પાર્ટી બીજેપીના નેતા પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહોતા થયા. બીજેપીએ કહ્યું કે, તેમના નેતા અહીં વિધાન ભવનમાં શપથગ્રહણ સમારોહમાં એટલા માટે ન હાજર રહ્યા કેમકે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર ખેડૂતોને કરવામાં આવેલા વચન પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે.