મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેના મળીને સરકાર બનાવવા જઇ રહી છે. ત્યારે ત્રણેય પાર્ટીએ મળીને ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ માટે ચૂંટયા છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વિટ કરતા ભાજપા પર કટાક્ષ કર્યો છે. સંજય રાઉતે ટ્વિટ કરતા લખ્યું છે, 'How' s The Josh?
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેના મળીને સરકાર બનશે
સંજય રાઉતે ટ્વિટ કરતા લખ્યું છે, 'How' s The Josh?
નોંધનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલની ફિલ્મ ''ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક'' (Uri : The Surgical Strike) ના આ ડાયલોગને ઘણીવાર બીજેપીના મંત્રીઓ અને નેતાઓએ અલગ-અલગ અવસરો પર ઉપયોગ કર્યો છે. ત્યારે હવે સંજય રાઉતે પોતાના ટ્વિટથી બીજેપીને જ આ સવાલ પૂછ્યો છે.
પોતાના ટ્વિટમાં સંજય રાઉતે લખ્યું, ''How' s The Josh? જય મહારાષ્ટ્ર''. નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરે ગુરુવારે એટલે કે આજે સાંજે મુંબઇના શિવાજી પાર્ક ( Shivaji Park)માં શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રીના શપથ લેશે.
ઠાકરેના મુખ્યમંત્રીની શપથ લેવાના બે દિવસ પહેલા જ દેવેન્દ્ર ફડણવીસે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુખ્યમંત્રી પદેથી અને એનસીપીના અજિત પવારે ઉપ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું.