મોદી સરકારની કેબિનેટનું વિસ્તરણ ગઈકાલે કરવામાં આવ્યું. જેમાં ઉત્તરપ્રદેશમ આ સાત સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે.
ભાજપે 2022માં ભોગવવું પડશે
અનુપ્રિયા પટેલને મંત્રીમંડળમાં જગ્યા કઈ રીતે મળે
ઉપ મુખ્યમંત્રી બનવાની માંગ
ભાજપે 2022માં ભોગવવું પડશે
મોદી સરકારની કેબિનેટનું વિસ્તરણ ગઈકાલે કરવામાં આવ્યું. જેમાં ઉત્તરપ્રદેશમ આ સાત સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ બધા વચ્ચે નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદના દીકરા અને સંતકબીરનગરના સાંસદ પ્રવીણ નિષાદને મંત્રી બનવવામાં આવ્યા નહીં. જેના પર સંજય નિષદે નારાજગી દર્શાવી છે. સાથે તેમણે માંગણી કહી હતી કે આગામી ચૂંટણીમાં મને ભાજપ તરફથી ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવે. જો ભાજપ આવું કરે છે તો તેમેને ચૂંટણીમાં ફાયદો થશે અને અમારી સરકાર બનશે. તેમને કેન્દ્રીય કેબિનેટમાં પદ લેવાની અપેક્ષા હતી પણ તેમને નિરાશા મળી.
અનુપ્રિયા પટેલને મંત્રીમંડળમાં જગ્યા કઈ રીતે મળે
તેમણે કહ્યું કે સાંસદ પ્રવીણ નિષાદ મારો પુત્ર જરૂર છે પણ એ ભાજપના સાંસદ પણ છે. પ્રવીણની લોકપ્રિયતાને જોઈ તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવા લાયક હતું. તેમણે કહ્યું કે માત્ર અમુક સીટો પર પોતાનું વર્ચસ્વ જમાવનાર અપના દળની અનુપ્રિયા પટેલને મંત્રીમંડળમાં જગ્યા મળી શકે છે તો 160 સીટો પર પોતાનું વર્ચસ્વ જમાવનાર નિષાદ સમાજના દીકરાને પણ મોકો મળવો જોઈએ. આગળ તેમણે કહ્યું કે પહેલેથી જ નિષાદ સમાજ અને ભાજપથી થોડુંક અલગ નજર આવી રહ્યું છે અને જો ભાજપે પોતાની કિંમત ન સુધારી તો તેની કિંમત 2022માં વિધાનસભા ચૂંટણીમાં ચૂકવવી પડે છે.
ઉપ મુખ્યમંત્રી બનવાની માંગ
આગળ તેઓ બોલ્યા કે હાલ તો અમે ભાજપ સાથે છીએ, પણ જો આવું જ રહ્યું તો અને ભાજપ હવેથી નિષાદોને આવી રીતે વખોડશે તો આવનારા સમયમાં અમે પોતાની રણનીતિ પર ફરીથી વિચારીશું. આ સમગ્ર રાજકીય ઘટના એવી છે કે પહેલા જ સંજય નિષાદ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપે અમને એક કેબિનેટ પોસ્ટ અને એક રાજ્યસભા સીટ આપવાનો વાયદો કર્યો હતો. સાથે તેમણે માંગણી કહી હતી કે આગામી ચૂંટણીમાં મને ભાજપ તરફથી ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવે. જો ભાજપ આવું કરે છે તો તેમેને ચૂંટણીમાં ફાયદો થશે અને અમારી સરકાર બનશે. તેમને કેન્દ્રીય કેબિનેટમાં પદ લેવાની અપેક્ષા હતી પણ તેમને નિરાશા મળી.