આરોપ / છીછોરે હિટ થયા બાદ સુશાંતના હાથમાંથી 7 ફિલ્મો કેમ નીકળી ગઈ? આ નેતાએ કહ્યું હત્યાનો ગુનો દાખલ કરો

sanjay nirupam tweets about sushant singh, pappu yadav demands murder case

ટેલિવિઝન અને ફિલ્મી દુનિયાના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદ ઘણા બધા લોકો આઘાતમાં છે. રવિવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને તેમણે મોત વહાલું કર્યું. પરિવાર તેના નિધનથી તૂટી ગયો છે અને સૌથી વધુ દુઃખી તેના પિતા છે. ત્યારે ગઈકાલે સુશાંતની મોતના સમાચાર સાંભળીને બિહારનાં નેતા પપ્પૂ યાદવ તરત જ સુશાંતના પરિવારને મળવા પહોંચી ગયા બાદ તેમણે કહ્યું હતું કે સુશાંત સિંહ આત્મહત્યા કરી જ ન શકે.  સંજય નિરુપમે પણ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે સુશાંતથી 7 ફિલ્મો છીનવી લેવામાં આવી હતી. જે બાદ પપ્પૂ યાદવે કહ્યું કે હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ. 

બ્રેકિંગ ન્યૂઝ