આજે ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T 20 માં ભારતે રસાકસી બાદ જીત નોંધાવી છે. સતત બીજી મેચમાં સુપરઓવરમાં જીતીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. પરંતુ બુમરાહના પ્રદર્શન પર એક પૂર્વ ખેલાડીએ કરેલી કોમેન્ટ ખુબ વાયરલ થઇ રહી છે. પૂર્વ ખેલાડીને બુમરાહને સલાહ આપવી ખુબ ભારે પડી છે. નોંધનીય છે કે આ પહેલાંની મેચમાં ભારતીય બોલર જસપ્રીત બુમરાહે નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું
સંજય માંજરેકરે બુમરાહને આપી હતી સલાહ
લોકોએ કર્યા ટ્રોલ
હેમિલ્ટનમાં ત્રીજી T 20 સીરીઝ સામે ભારે રસાકસી થઇ હતી અને સુપરઓવરમાં ટીમ વિજયી બની હતી. જોકે આ મેચ બાદ ઘણા લોકો જસપ્રીત બુમરાહ પર સવાલો ઉભા કર્યા હતા. નોંધનીય છે કે આ મેચમાં જસપ્રીત બુમરાહે ખુબ ખરાબ પ્રદર્શન કર્યું હતું. તે મેચમાં બુમરાહે 4 ઓવરમાં 45 રન લુટાઈ દીધા હતા. સુપર ઓવરમાં પણ તેમણે 17 રન આપ્યા. બુમરાહના આ ખરાબ પ્રદર્શન બાદ સંજય માંજરેકરે ટ્વીટ કરીને બુમરાહને બોલિંગ સલાહ આપી જે બાદ માંજરેકરને બુમરાહના ચાહકોએ જડબાતોડ જવાબ આપ્યો. સોશિયલ મીડિયામાં સંજય ખુબ ટ્રોલ થયા.
Watched that super over from Bumrah. He is such a fabulous bowler but he could use the crease a little more to create different delivery angles. #INDvsNZ
પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ટ્વીટ કરીને કહ્યું કે બુમરાહની સુપર ઓવર જોઈ તે ખુબ જ સારા બોલર છે. પરંતુ ર્તેઓ ક્રીઝની થોડો વધારે ઉપયોગ કરી શકે છે જેથી તેનો કંઇક અલગ ઉપયોગ થઇ શકે છે.' એક ફેનએ લખ્યું કે માંજરેકર તમે કોચ માટે એપ્લાય કરી દો ને. જયારે બીજા એક યુઝરે લખ્યું કે દરેક બોલરનો એક દિવસ ખરાબ હોય છે તેમ તે દિવસે બુમરાહનો દિવસ ખરાબ હતો.
1 bad day and even average players of their time become advisors to worlds best. Not implying that its bad to give advice, its just the credibility of the source of advice. I find it funny! 😆
महाभारत मैं एक संजय थे जो सब कुछ देख सकते थे किसी आम इंसान भी नहीं दिखता था!
और हमारे कलयुग के संजय को भी सब कुछ दिख सकते है जो आंखों सामने है सिवाय हम किसको सुजाव दे रहे है.!!
નોંધનીય છે કે ભૂતપૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ક્રિકેટ વેબસાઈટ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે બુમરાહનો દિવસ ખરાબ ચાલી રહ્યો હતો તેથી તેમની જગ્યાએ રવીન્દ્ર જાડેજા અથવા ચહલને બોલિંગ આપવા જેવી હતી.