ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ બેટ્સમેન અને કોમેન્ટેટર સંજય માંજરેકરને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે ધર્મશાલામાં રમાયેલી વનડે મેચમાં સંજય માંજરેકર હાજર ન હતા, પરતુ બાકીના કોમેન્ટેટર સુનીલ ગવાસ્કર, મુરલી કાર્તિક અને એલ. શિવરામકૃષ્ણ સ્ટેડિયમમાં હતા, જોકે તેઓ કેમ ન હતા તે પાછળનું કારણ સામે આવી ગયુ છે.
મળતી માહિતી અનુસાર, સંજય માંજરેકરને ભારતીય ટીમની ઘરેલુ મેચોની કોમેન્ટ્રી પેનલમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, સંજય માંજરેકર માત્ર ભારતીય દ્વીપક્ષીય સીરિઝમાંથી જ નહી પરંતુ IPL ની આગામી સિઝનની કોમેન્ટ્રી પેનલમાં પણ નથી રાખવામાં આવ્યા.
શુક્રવારે જ 29 માર્ચથી શરૂ થનારી IPL ને 15 એપ્રિલથી શરૂ કરવામા આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો. જોકે સંજય માંજરેકરને કયા કારણોસર પેનલમાંથી બહાર કરવામાં આવ્યા છે તેની પાછળનું કોઇ કારણ નથી આવ્યુ પરંતુ કહેવાઇ રહ્યુ છે કે ઓથોરિટી તેમના કામથી ખુશ ન હતી. સૂત્રોનુસાર, સંજય માંજરેકર કદાચ IPL નો ભાગ પણ નહી હોય. તાજેતરમાં જ તેમના વિશે વિચારણા કરવામાં આવી રહી છે. જોકે વાત સ્પષ્ટ છે કે ઓથોરિટી તેમના કામથી ખુશ નથી.
સંજય માંજરેકરે ICC વર્લ્ડકપ દરમિયાન ટીમ ઇન્ડિયના ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ને કામચલાઉ ક્રિકેટર ગણાવ્યો હતો, જે પછી તેઓ મુશ્કેલીમાં ફસાયા હતા. સંજય માંજરેકરે કહ્યુ કે, હું એવા ખેલાડીને પ્લેઇંગ ઇલેવનમાં નથી જોવા માંગતો જે ટુકડા પરફોર્મ કરતો હોય, મને તે ખેલાડી પસંદ નથી તે ટુકડામાં પરફોર્મ કરે, જોકે જાડેજા આશકાલ વનડેમાં પરફોર્મ કરે છે. હું કદાચ બેટ્સમેન ઇચ્છીશ અથવા તો બૉલર.
ઉલ્લેખનીય છે કે, માંજરેકરને દુનિયાના સૌથી સારા કોમેન્ટરમાં શામેલ કરાયા છે. તે પાછલા 3 વર્લ્ડકપમાં કોમેન્ટ્રી પેનલમાં હિસ્સો રહ્યા છે. જ્યારે વર્ષ 1996 માં રિટાયરમેન્ટ બાદથી ICC મોટાભાગની ઇવેન્ટની તે કોમેન્ટ્રી કરતા આવ્યા છે. જોકે BCCI ની ઘણી વખત તેનું કામ પસંદ આવ્યુ નથી.