કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ બપુધવારે રમાયેલી IPL મૅચમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન વિલન સાબિત થયો છે.
KKR સામે DC છેલ્લી મૅચમાં હાર્યું
દોષનો ટોપલો અશ્વિન પર ઢોળાયો
સંજય માંજરેકરે આપ્યું નિવેદન
અશ્વિનની એક ભૂલના કારણે DCએ ફાઇનલમાં રમવાનો મોકો ગુમાવવો પડ્યો હતો. છેલ્લી ઓવરમાં 7 રન બચાવવાના હતા પરંતુ તે એવું કરવામાં સફળ ન થઇ શક્યો. કોલકાતા નાઇટ રાઇડર્સને છેલ્લા 2 બોલમાં 6 રનની જરૂર હતી અને અશ્વિને 6 રન આપી દીધા હતા.
દિગ્ગજના નિવેદને મચાવ્યો ખળભળાટ
ભારતીય પૂર્વ બેટ્સમેન અને કોમેન્ટેટર સંજય માંજરેકરે કહ્યું કે તે ક્યારેય અશ્વિન જેવા ખેલાડીને પોતાની ટી 20 ટીમમાં ન રાખે. તેની જગ્યાએ વરુણ ચક્રવર્તી અને સુનીલ નરેન જેવા લોકોને સામેલ કરશે. તમને જણાવી દઇએ કે બીજા ક્વોલીફાયરમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે દિલ્હી કેપિટલ્સને હરાવી દીધું હતુ.
કોઇ પણ ટીમ માટે અશ્વિન અસરદાર નહી
સંજય માંજરેકરે કહ્યું કે, અમે લોકોએ અશ્વિન વિષે ખુબ વાતો કરી લીધી. ટી 20 મૅચમાં અશ્વિન કોઇ પણ ટીમ માટે એટલો અસરદાર સાબિત નથી થયો. તમે અશ્વિનને બદલવા માંગો છો તે એવું નહી થાય કારણ કે તે છેલ્લા 5-7 વર્ષથી એવો જ છે. હું સમજું છુ કે ટેસ્ટ મેચમાં તે જે ફોર્મમાં રહે છે તે કાબિલેતારીફ છે પરંતુ તેને જ્યારે ઇંગ્લેન્ડમાં એક પણ મૅચ રમવાની તક ન મળી તે જાણીને દુઃખ થયું.
આ હાર બાદ દિલ્હીના યુવા કેપ્ટન રિષભ પંત ખૂબ જ નિરાશ દેખાયો હતો. પ્રશ્નોના જવાબ આપતી વખતે તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોઈ શકાતી હતી. ભેજવાળી આંખો, નમી ગયેલી આંખો અને ધીમા અવાજ સાથે, તેણે તેમ છતાં આ જવાબદારી નિભાવવાનું ચાલુ રાખ્યું. રિષભ પંતે ચાહકોને વચન આપ્યું હતું કે આગામી વર્ષે ટીમ વધુ મજબૂત રીતે પરત આવશે. રિષભ પંતે કહ્યું, 'જો તમે મને પૂછો કે મને કેવું લાગે છે, તો મારી પાસે કોઈ જવાબ નથી. છ વિકેટ પડ્યા બાદ અમને વિશ્વાસ હતો કે અમે મેચને આગળ લઈ જઈશું, પરંતુ અમે કરી શક્યા નહીં. તેમણે મિડલ ઓવરોમાં સારી બોલિંગ કરી, અમે સ્ટ્રાઈક રોટેટ શક્યા નહીં. અમે આ સિઝનમાં સારું ક્રિકેટ રમ્યું, જે પણ થયું, અમે શીખીએ છીએ, આશા છે કે અમે આગામી સિઝનમાં સારું પ્રદર્શન કરીશું.