આજે 17 સપ્ટેમ્બરે મોદી પોતાની 69મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે ફિલ્મ નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણસાલી લોકોને પીએમની લાઇફ પર બનેલી એક સ્પેશ્યલ ફિલ્મ 'મન બૈરાગી'ના ફર્સ્ટ લુકની ભેટ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આજે જાણીતા ફિલ્મ નિર્માતા નિર્દેશક સંજય લીલા ભણસાલી લોકોને પીએમની લાઇફ પર બનેલી એક સ્પેશ્યલ ફિલ્મ 'મન બૈરાગી'નું ફર્સ્ટ લુકની ભેટ આપી છે.
પીએમ નરેન્દ્ર મોદીની લાઇફમાં જોઇ ના હોય તેવી સફર દેખાડતી આ ફિલ્મને સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈને પ્રોડ્યૂસ કરી છે, જ્યારે ફિલ્મના લેખક અને નિર્દેશક સંજય ત્રિપાઠી છે. ખાસ વાત તો એ છે કે ફર્સ્ટ લુક પોસ્ટરને સુપરસ્ટાર પ્રભાસ જારી કરશે. મેકર્સ પ્રમાણે, કોઇ પણ સફળ વ્યક્તિની લાઇફમાં એક એવી તક આવે છે, જ્યારે તે આ સફળતા તરફ પગલું ભરે છે અને 'મન બૈરાગી' આ માટે જ છે.
ફિલ્મ માટે સંજય લીલા ભણસાલી કહે છે, 'મને આ કહાનીની સૌથી રસપ્રદ વાત એની યૂનિવર્સલ અપીલ અને સંદેશ લાગ્યો. મને લાગ્યું કે આ એક એવી ના સાંભળેલી વાત છે, જેને દેખાડવી જોઇએ.' તો બીજી બાજુ ડાયરેક્ટર સંજય ત્રિપાઠીનું માનવું છે કે આ ફિલ્મ લોકોનું દિલ જીતી લેશે. એમને કહ્યું, 'મારા માટે આ એક એવા વ્યક્તિની કહાની છે, જે પોતાની જાતને શોધવા નિકળ્યો હતો અને અમારા દેશના સૌથી મોટા નેતા બની ગયા.'
જ્યારે મહાવીર જૈને કહ્યું કે, 'મન બૈરાગીમાં નરેન્દ્ર મોદીની જીવનની સફરમાં સૌથી મહત્વના પહેલૂને દેખાડવામાં આવશે. યુવા આ ફિલ્મથી જોડાણ મહેસૂસ કરશે અને પ્રેરિત થશે.' જણાવી દઇએ કે મહાવીર જૈન આ પહેલી પીએણ મોદીના બાળપણ પર આધારિત શૉર્ટ ફિલ્મ 'ચલો જીતે હે' પણ બનાવી ચુક્યા છે. આ શૉર્ટ ફિલ્મને નેશનલ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી હતી.
કોન બનશે પીએમ મોદી
યુવા અને નવોદિત અભિનેતા અભય વર્માએ પીએમ મોદીનો રોલ પ્લે કર્યો છે. જેમાં પીએમના રાજકારણ જીવનનું કોઇ ચેપ્ટર હશે નહીં.