સંજય લીલા ભણસાલી, ભૂષણ કુમાર, મહાવીર જૈન અને પ્રજ્ઞા કપૂર એક ફિલ્મ માટે સાથે કામ કરવાના છે અને ફિલ્મનું નામ છે 'બાલાકોટ એરસ્ટ્રાઈક'. અભિષેક કપૂર આ ફિલ્મને ડિરેક્ટ કરશે. ફિલ્મની ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.
'બાલાકોટ એરસ્ટ્રાઈક' પર બનશે ફિલ્મ
સંજય લીલા ભણસાલી ફિલ્મને પ્રોડ્યૂસ કરશે
આ ફિલ્મ દ્વારા ભારતીય જવાનોને ટ્રિબ્યૂટ આપવામાં આવશે
તરણ આદર્શે ટ્વિટમાં લખ્યું, સંજય લીલા ભણસાલી, ભૂષણ કુમાર, મહાવીર જૈન અને પ્રજ્ઞા કપૂર 2019માં થયેલી બાલાકોટ એર સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવશે. નેશનલ એવોર્ડ વિનર અભિષેક કપૂર આ ફિલ્મને ડિરેક્ટ કરશે. આ ફિલ્મ ભારતીય જવાનો માટે ટ્રિબ્યૂટ હશે. નોંધનીય છે કે આ વર્ષે સર્જિકલ સ્ટ્રાઇકલ પર ‘ઉરી’ ફિલ્મ બનાવવામાં આવી હતી અને તે સુપરહિટ સાબિત થઇ હતી. હવે 26 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલી બાલકોટ એરસ્ટ્રાઇક પર બનનારી આ બીજી ફિલ્મ છે.
IT'S OFFICIAL... Sanjay Leela Bhansali, Bhushan Kumar, Mahaveer Jain and Pragya Kapoor to make film on 2019 Balakot Airstrike... Directed by Abhishek Kapoor. pic.twitter.com/PK5f42D1wC
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન એરફોર્સે પુલવામા હુમલામાં થયેલ 40 જવાનોના મૃત્યુનો વળતો જવાબ આપવા બાલકોટ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ હુમલો 14 ફેબ્રુઆરીએ થયો હતો. જે બાદ ભારતીય સેનાએ 26 જાન્યુઆરી સવારે 3.30 વાગ્યે ભારતીય સેનાના મિરાજ દ્વારા પાકિસ્તાનના બાલાકોટની અંદર ઘૂસીને જૈશ-એ-મોહમ્મદને અડ્ડા પર સ્ટ્રાઈક કર્યું હતું. જેમાં લગભગ 200થી 300 આતંકિયો માર્યા ગયા હતા. જે બાદ સમગ્ર દેશે ઈન્ડિયન એરફોર્સની બહાદુરીને સલામ કર્યું હતું.