એક તરફ રાજસ્થાનની રાજનીતિમાં ડામાડોળ ચાલી રહ્યું છે અને સચિન પાયલટે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી રામ રામ સા એવો સૂચક સંદેશ મુક્યો છે ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાંથી વધુ એક કોંગ્રેસી નેતાની હકાલપટ્ટી કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયાં છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પીઢ નેતા સંજય ઝાને કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે.
રાજસ્થાન રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્રના સંજય ઝાની પક્ષમાંથી હકાલપટ્ટી
પક્ષ વિરોધી કામ કરતા હોવાથી લેવાયો નિર્ણય
કોંગ્રેસે ટ્વીટ કરી આપી માહિતી
કોંગ્રેસે પાર્ટીના પૂર્વ પ્રવક્તા સંજય ઝાને સસ્પેન્ડ કરી દીધા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. સંજય ઝા પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તબદ્ધ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે તાજેતરમાં જ પાર્ટીના પ્રવક્તાના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા સંજય ઝાએ સચિન પાયલોટને પોતાનો ટેકો આપ્યો હતો. એક ટ્વીટમાં તેણે સચિન પાયલોટની 'માંગ' ને ન્યાયી ઠેરવી હતી.
Sanjay Jha has been suspended from Congress party with immediate effect "for anti-party activities and breach of discipline." pic.twitter.com/ZLIkHvyn0A
તાજેતરમાં જ કોંગ્રેસના પ્રવક્તાના પદ પરથી હટાયેલા સંજય ઝાએ રાજસ્થાનમાં તેમની પાર્ટીમાં રાજકીય સંકટ માટેના સમાધાનનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે સચિન પાયલોટને રાજસ્થાનમાં મુખ્યમંત્રી બનાવવા જોઈએ. આ સિવાય ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા અશોક ગેહલોતને મોટી જવાબદારી આપતા કોંગ્રેસ જ્યાં નબળી છે ત્યાં પાર્ટીને મજબૂત કરવાનું કહેવું જોઈએ.
There is a simple solution to the Rajasthan conundrum:
Sachin Pilot should be made CM
Mr Ashok Gehlot ( already 3 time CM ) must be given a senior organisational role to revive weak states.
લોહીથી કોંગ્રેસી તેવું ટ્વીટર એકાઉન્ટ પર કર્યો છે ઉલ્લેખ
આપને જણાવી દઇએ કે, સંજય ઝાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર DNAથી કોંગ્રેસી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
રાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી સચિનને હટાવાયા
રાજસ્થાનમાં ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી જેમને હટાવવામાં આવ્યા છે એવા બળવાખોર સચિન પાયલોટે આ સમયે તેમનું સમર્થન કરનારા લોકોનો આભાર માન્યો હતો
આવતીકાલે સચિન પાયલટ કરશે પ્રેસ કોન્ફરન્સ
રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે આવતીકાલે દિલ્હીમાં પાયલટ એક પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે. રાજસ્થાનના સમગ્ર ઘટનાક્રમ અંગે તેમએ હજી સુધી કોઇ ટિપ્પણી કરી નથી પરંતુ બુધવારે દિલ્હીમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં તેઓ પોતાની વાત જણાવી શકે છે.