ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડાની આવનારી ફિલ્મ 'શિકારા'ની પ્રમોશન ઇવેન્ટમાં જણાવ્યું હતું કે તે હવે સંજય દત્ત સાથે ફિલ્મ મુન્નાભાઈનો ત્રીજો ભાગ બનાવવા જઈ રહ્યાં છે અને આ ફિલ્મ કોમેડી અને ફ્નથી એકદમ ભરપુર હશે સાથે સાથે તેમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બધા જુના કીરદારો જ જોવા મળશે.
વિધુ વિનોદ ચોપરા બનાવશે મુન્નાભાઈ 3
સંજય દત્ત પણ ફિલ્મમાં હશે
કોમેડી અને મનોરંજનથી ભરપુર હશે મુન્નાભાઈ 3
સંજય દત્તની ફિલ્મ 'મુન્નાભાઈ MBBS' અને 'લગે રહો મુન્નાભાઈ' ને દર્શકોએ ખુબ પસંદ કરી હતી અને ફિલ્મના બન્ને ભાગ ખુબ સફળ રહ્યાં હતાં અને તેમના દરેક કીરદારો અને ડાયલોગ્સ હંમેશા માટે લોકો દિલમાં વસી ગયા છે. આ ફિલ્મમાં અભિનેતા અરશદ વારસી અને સંજય દત્તની જોડી ખુબ જ જબરદસ્ત છે અને ત્યારે હવે ફિલ્મની ત્રીજી ફ્રેન્ચાઈઝીને લઈને જાહેરાત થઈ છે.
મીડિયા રીપોર્ટસ અનુસાર ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપરાએ કહ્યું છે કે હાલ અમારું ધ્યાન મુન્નાભાઈ ત્રીજી ફ્રેન્ચાઈઝી પર કેન્દ્રિત છે કારણકે હવે તે એક કોમેડી ફિલ્મ બનવવા માંગે છે. તમને જણાવી દઈએ કે વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 'શિકારા' 7 ફેબ્રુઆરીએ રીલીઝ થવાની છે.
ફિલ્મ 'શિકારા'ના પ્રમોશન ઇવેન્ટ દરમિયાન કહ્યું કે મુન્નાભાઈ ફિલ્મ તેમના દિલની ખૂબ નજીક છે અને તે માટે એક કોમેડી ફિલ્મ બનવવા માંગે છે. આ લાંબા સમયથી મુન્નાભાઈની આગામી સીરીઝ બનાવવા માટે રાહ જોઈ રહ્યો છું અને હવે તેમના પર કરવા માટે ઉત્સુક છું અને આ ફિલ્મમાં સંજય દત્ત જ હશે.