બોલિવૂડ એક્ટર સંજય દત્ત લંગ કેન્સરનો ઈલાજ કરાવી રહ્યો કરી રહ્યો છે. એક્ટરે 11 ઓગસ્ટ 2020ના રોજ પોતાને લંગ કેન્સર હોવાની જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી. આ બીમારીનું નિદાન થતાં જ સંજય દત્તે તેની ટ્રીટમેન્ટ લેવાની શરૂ કરી દીધી છે. હાલમાં તેણે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં કીમોથેરપીનું પહેલું ચરણ પૂરું કર્યું છે. આ દરમિયાન અહેવાલ છે કે સંજુ બાબા અચાનક મુંબઈ છોડીને વિદેશ જતો રહ્યો છે. તેની પત્ની માન્યતા દત્ત પણ તેની સાથે છે. એક્ટરે મુંબઈ અચાનક છોડતાં ફેન્સને તેની ચિંતા થઈ રહી છે. સંજય અને માન્યતા બંને ચાર્ટર્ડ ફ્લાઇટમાં સાથે ગયા છે.
સંજય દત્ત લંગ કેન્સરનો ઈલાજ કરાવી રહ્યો કરી રહ્યો છે
આ બીમારીનું નિદાન થતાં જ સંજય દત્તે તેની ટ્રીટમેન્ટ લેવાની શરૂ કરી દીધી
ત્યારે હાલમાં જ સંજય અચાનક વિદેશ જતો રહેતા ફેન્સ ચિંતામાં
સંજય દત્ત પોતાની પત્ની માન્યતા દત્તની સાથે 15 સપ્ટેમ્બરની સાંજે 4 વાગ્યે મુંબઈથી દુબઈ માટે રવાના થયો છે. એક અહેવાલ મુજબ, એક્ટર પોતાના બાળકો શાહરાન અને ઈકરાને ખૂબ મિસ કરી રહ્યો હતો અને તેમને મળવા માટે જ તે દુબઈ રવાના થયો છે. સૂત્રો મુજબ, લગભગ 7થી 10 દિવસ સુધી દુબઈમાં રહ્યા બાદ સંજય અને માન્યતા પરત મુંબઈ આવી જશે. શાહરાન અને ઈકરા હાલ દુબઈમાં છે અને પોતાના ક્લાસિસ લઈ રહ્યાં છે.
સંજય દત્તને ફેફસાના કેન્સર સામે લડતાં એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. અનેકવાર તેને હોસ્પિટલ જતાં પણ સ્પોટ કરવામાં આવ્યો છે. સંજય દત્ત કેન્સર સામે જંગ લડી રહ્યો છે પરંતુ તેણે આ બીમારીને પોતાના કામની વચ્ચે આવવા દીધી નથી. તે સારવારની સાથોસાથ પોતાની નવી ફિલ્મ શમશેરાના શૂટિંગ ઉપર પણ ફોકસ કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં હાલમાં સંજય દત્તની સારવાર ચાલી રહી છે અને એક્ટર સતત ડોક્ટર્સના સંપર્કમાં છે. સંજય દત્તની આવનારી ફિલ્મોની વાત કરીએ તો એક્ટર ટૂંક સમયમાં ફિલ્મ KGF ચેપ્ટર 2, રણબીર કપૂર સાથે શમશેરા, ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળશે.