બોલિવૂડ અભિનેતા સંજય દત્ત કેન્સરના ઈલાજ માટે મુંબઈના કોકિલાબહેન હોસ્પિટલમાં એડમિટ થયો છે. એવામાં સંજય દત્તે ઈલાજ માટે હોસ્પિટલ પહોંચતા પહેલાં તેના તમામ ફેન્સને તેના માટે દુઆ માંગવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, સંજય દત્ત ત્રીજા સ્ટેજના એડવાન્સ લંગ કેન્સરથી પીડિત છે. સંજય કેન્સરના ઈલાજ માટે અમેરિકા જશે.જ્યાં તે લગભગ 3 મહિના સુધી ઈલાજ કરાવશે.
સંજય દત્તને કેન્સરને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર
કેન્સરના ઈલાજ માટે મુંબઈના કોકિલાબહેન હોસ્પિટલમાં એડમિટ થયો છે
ફરી એકવાર સંજય દત્ત પરિવાર સાથે કોકિલાબેન હોસ્પિટલ પહોંચ્યો છે. થોડાં દિવસ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને લીલાવતી હોસ્પિટલ એડમિટ કરાયો હતો, જ્યાં તેને કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી તે ઈલાજ માટે સતત હોસ્પિટલ જઈ રહ્યો છે. આ દરમિયાન પાપારાઝીએ સંજૂ બાબા અને તેની પત્ની માન્યતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ઘરેથી હોસ્પિટલ જતા તસવીરો ક્લિક કરી હતી.
Mumbai: Actor Sanjay Dutt leaves from his residence for Kokilaben Hospital. He says, "Pray for me." (Earlier visuals)
ગાડીમાં બેસતા પહેલાં સંજય તેના પરિવાર સાથે વાત કરતાં જોવા મળ્યો હતો. સાથે જ માન્યતાને તે કંઈક સમજાઈ રહ્યો હતો. માસ્ક પહેર્યું હોવા છતાં માન્યતાના ચહેરા પર ચિંતા દેખાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે, થોડાં દિવસ પહેલાં જ સંજયે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે બીમારીને કારણે તે થોડા સમય માટે બ્રેક લઈ રહ્યો છે. સાથે જ તેને તેના બાળકોની ચિંતા પણ થઈ રહી છે. એક રિપોર્ટ મુજબ જ્યારે સંજયને કેન્સર હોવાની જાણ થઈ તો તે શોક્ડમાં હતો પરંતુ હવે તેણે આ બીમારી સાથે લડવાની તૈયારી કરી લીધી છે.
સંજય કેન્સરગ્રસ્ત હોવાના સમાચાર સામે આવતા જ તેનો પરિવાર, મિત્રો, કો-સ્ટાર્સ અને ફેન્સ તેના માટે સતત દુઆ કરી રહ્યાં છે અને તેને ભરપૂર પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે. સાથે જ સંજૂ બાબાના બેસ્ટ ફ્રેન્ડ પરેશ ગહલાની, અરશદ વારસીએ તેના માટે ઈમોશનલ પોસ્ટ કરીને તેને ફાઈટર કહ્યો છે. આ સિવાય તેની પત્ની માન્યતા ખૂબ જ ચિંતિત છે જોકે, તેને વિશ્વાસ છે કે, બાબા જલ્દી સાજો થઈને પાછો આવશે.