સંજય દત્તના ફેન્સ માટે સારાં સમાચાર છે. લંગ કેન્સર અને સારવારની ચર્ચાઓ વચ્ચે સંજુ બાબા સોમવારથી રણબીર કપૂર સાથે ફિલ્મ શમશેરાનું શૂટિંગ શરૂ કર્યું છે. સંજય દત્તના નજીકના મિત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. સંજયે હાલમાં જ કીમો થેરાપી સેશન લીધું છે, જેનાથી તે ખૂબ જ જલ્દી રિકવર થઇ રહ્યો છે.
લંગ કેન્સર હોવા છતાં સંજય દત્તે ફિલ્મ શમશેરાનું શૂટિંગ શરૂ કર્યું
11 ઓગસ્ટે સંજય દત્તને લંગ કેન્સર હોવાના સમાચાર સામે આવ્યા હતા
તેની છેલ્લી ફિલ્મ ‘સડક-2’ 28 ઓગસ્ટે રિલીઝ થઇ હતી
સંજયે ડોક્ટર જલીલ પારકર ઉપરાંત લંગ કેન્સર માટે અમેરિકાના ડોક્ટર પાસેથી પણ સેકન્ડ ઓપિનિયન લીધો હતો. ત્યારબાદથી તે સતત કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટરોના સંપર્કમાં છે. ત્યાં તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું કે,સંજય દત્તને એટલી પણ પ્રોબ્લેમ નથી, જે રીતે મીડિયામાં બતાવવામાં આવી રહ્યું છે.
આ વાતની પુષ્ટિ સંજય દત્તના પરિવારના કેટલાક લોકોએ કરી છે. તેની બીમારીનું શરૂઆતના સ્ટેજમાં જ નિદાન થઈ ગયું છે અને સારવાર શરૂ કર્યા બાદ સંજય હવે ફિટ છે. સંજયે જ ડોક્ટર પારકરને કહ્યું હતું કે, તે તેની અધૂરી ફિલ્મોનું શૂટિંગ પૂરી કરવા માગે છે. આ જ કારણે સંજયે અમેરિકાના વિઝા તો લઈ લીધા છે પણ ત્યાં જવાની હાલ કોઈ તૈયારી નથી.