સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજૂમાં રણબીર કપૂરે કામ કર્યું હતું. સંજય દત્ત જેવું દેખાવવા માટે રણબીરે ખૂબ મહેનત કરી હતી.
રણબીર-આલિયાના લગ્નને લઈને બોલિવુડનું બજાર ગરમ
13થી 15 એપ્રિલમાં કપલ બંધાશે લગ્નના બંધનમાં
સંજય દત્તે કપલને આપી ખાસ સલાહ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને બોલિવુડનું બજાર ગરમ છે. ખબર છે કે આલિયા અને રણબીર કાલે એટલે કે 13થી 15 એપ્રિલની વચ્ચે લગ્નના બંધનમાં બંધાઈ જશે. બન્નેના લગ્નને લઈને વેન્યુથી લઈને વેડિંગ ગેસ્ટની લિસ્ટ સુધી બધુ જ ચર્ચામાં છે.
ભલે કપલના લગ્નને લઈને મીડિયામાં કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું હોય પરંતુ હજુ પણ લગ્નને લઈને કોઈ ઓફિશ્યલ જાણકારી સામે નથી આવી. આ વચ્ચે આ સુંદર જોડીના લગ્ન પર બોલિવુડ એક્ટર સંજય દત્તે રિએક્શન આપ્યું છે. રિપોર્ટ્સ અનુસાર સંજય દત્તે બન્નેને એક સ્પેશિયલ સલાહ આપી છે.
KGF-2ના પ્રમોશનમાં વ્યસ્ત સંજય દત્ત
મહત્વનું છે કે સંજય દત્ત હાલ સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સંજય 'અધીરા'નુ એક નેગેટિવ કેરેક્ટર પ્લે કરશે. પ્રશાંત નીલના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
સંજય દત્તનું રિએક્શન
એક રિપોર્ટ અનુસાર KGFના પ્રમોશન ઈવેન્ટ વખતે જ્યારે સંજય દત્તને રણબીર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યા તો એક્ટરે કહ્યું, "'શું તે લગ્ન કરી રહ્યા છે?' જો તે લગ્ન કરી રહ્યા છે તો હું તેમના માટે ખુશ છું. આલિયાનો જન્મ મારી સામે થયો છે. તે મારી સામે મોટી થઈ છે. લગ્ન એક કમિટમેન્ટ છે જે તે એક-બીજા માટે કરી રહ્યા છે અને તેમને તેના પર જ ટકી રહેવાનું છે. એક બીજાનો હાથ પકડીને સુખ, શાંતિ અને વૈભવમાં આગળ વધવાનું છે. જલ્દી લગ્ન કરો, બાળક પેદા કરો અને રણબીર વધુ ખુશ રહો."
રણબીર-આલિયાને આપી આ સલાહ
રિપોર્ટ અનુસાર જ્યારે સંજય દત્તને પુછવામાં આવ્યું કે મેરિડ લાઈફમાં આવનાર મુશ્કેલીઓના સંબંધમાં રણબીર માટે તેમની પાસે કોઈ સલાહ છે, તો તેમણે કહ્યું, "આ બન્ને તરફથી સમજવાની વાત છે. રસ્તા ખરાબ હશે પરંતુ કોઈએ હાર નથી માનવાની. રસ્તામાં દરેક જગ્યા પર સાથે રહેવા અને એ વાત યાદ રાખવાની રહેશે કે તેમને એક બીજા પ્રત્યે જે વચન આપ્યું છે તે ખૂબ મહત્વપૂર્ણ છે અને આજ આગળ વધવાની ચાવી છે. "