થોડાં દિવસ પહેલા જ સંજય દત્તને કેન્સર હોવાના સમાચાર સામે આવ્ય હતા, જે બાદથી આ સમાચાર ખૂબ જ ચર્ચામાં છે. જોકે, હવે તેના નજીકના મિત્ર અને પ્રોડ્યૂસર રાહુલ મિત્રાએ તેના સ્વાસ્થ્ય વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી છે. તેનું કહેવું છે કે, સંજયને લાસ્ટ સ્ટેજનું કેન્સર નખી અને જે પ્રમાણે અફવાઓ ચાલી રહી છે, સંજય એટલો પણ બીમાર નથી.
સંજયને કેન્સર હોવાનું સામે આવતા થઈ રહી છે ચર્ચા
હવે તેના નજીકના મિત્રએ તેના સ્વાસ્થ્યને લઈને કર્યો મોટો ખુલાસો
સંજયના મિત્રએ કહ્યું- તેને છેલ્લા સ્ટેજનું કેન્સર નથી
સંજયને છેલ્લા સ્ટેજનું કેન્સર છે અને તેની પાસે હવે સમય નથી, આવા સમાચારો પર રાહુલ મિત્રાએ જવાબ આપતા કહ્યું- આ બધું બકવાસ છે. સંજયપોતાની પ્રાથમિક સારવાર મુંબઈમાં જ કરાવી રહ્યો છે અને હજી કેટલાક રિઝલ્ટ આવવાના બાકી છે. તે ફાઈટર છે અને જીતશે. મને આ વાતમાં કોઈ શંકા નથી અને આ રિએક્શન માત્ર ઈમોશનને કારણે નથી પરંતુ આ હકીકત છે. પ્લીઝ અનુમાન લગાવવાનું બંધ કરો, જો કંઈક કરવું હોય તો તેના સારા માટે પ્રાર્થના કરો.
એવા સમાચાર આવી રહ્યો છે કે, સંજય દત્ત તેની ટ્રીટમેન્ટ માટે યૂએસ જઈ રહ્યો છે. પરંતુ રાહુલ આ અંગે કહ્યું- જ્યારે અહીં બેસ્ટ ડોક્ટર્સ છે તો બીમારીનું ઈલાજ ભારતમાં પણ થઈ શકે છે તો બીજે ક્યાંય કેમ જવું. હાલ તેને ક્યાંય જવાની જરૂર નથી. ટ્રીટમેન્ટની તેના પર સારી અસર થઈ રહી છે અને પછી જ્યારે જરૂર લાગશે ત્યારે તે અબ્રોડ જશે.
આ મહિનાની શરૂઆતમાં જ સંજયને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જે બાદ તેને લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જે બાદ તેને ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું અને ટ્રીટમેન્ટને કારણે તેણે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી.