સંજય દત્તને ખુદને કેન્સર હોવાની જાણ થતા તેઓ પત્ની અને બાળકો સામે ઘણા કલાકો સુધી રડ્યા હતા.
સંજય દત્તને કેન્સર હોવાની જાણ થઇ હતી
પત્ની અને બાળકો સામે ખૂબ રડ્યા સંજય દત્ત
પહેલા લાગ્યું હતું ટીબી છે, કેન્સર નથી
સંજય દત્તને કેન્સર હોવાની જાણ થઇ હતી
સંજય દત્તે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે અને તે પોતાના જીવનનાં તે દિવસો વિષે વાત કરતા ક્યારેય ખચકાતા નથી. KGF 2 એક્ટરે હાલમાં જ પોતાના કેન્સર વિષે વાત કરતા જણાવ્યું કે આ વિષે જાણ થયા બાદ તેઓ ઘણા કલાકો સુધી રડ્યા હતા. પરંતુ ત્યાર બાદ તેમણે કેન્સર સામે લડવાની નિર્ણય કરી લીધો હતો.
પહેલા લાગ્યું હતું ટીબી છે, કેન્સર નથી
સંજય દત્તે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન, તેમની સારવાર ચાલી રહી હતી. તેમણે કહ્યું કે લોકડાઉન દરમિયાન આ એક સામાન્ય દિવસ હતો. જ્યારે હું સીઢીઓ પરથી ઉપર ગયો ત્યારે મારા શ્વાસો જાણે અટકી ગયા હતા. હું શ્વાસ નહોતો લઈ શકતો અને મને ખબર નહોતી શું થઇ રહ્યું હતું, એટલા માટે મેં મારા ડોક્ટરને ફોન કર્યો. એક્સ રેમાં મારા અડધાથી વધારે ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું. તેમણે પાણી બહાર કાઢવું પડ્યું. તે સૌને આશા હતી કે આ ટીબી છે પણ આ કેન્સર નીકળ્યું.
પરિવાર સામે ખૂબ રડ્યા સંજૂ
તેણે આગળ કહ્યું, 'તેને કેવી રીતે તોડવું તે મારા માટે મોટો મુદ્દો હતો. તેથી મારી બહેન અંદર આવી, મને લાગ્યું, 'ઠીક છે, મને કેન્સર થયું છે, હવે શું?' પછી તમે યોજના બનાવવાનું શરૂ કરો, અમે આ અને તે કરીશું... પરંતુ હું બે-ત્રણ કલાક રડ્યો કારણ કે હું મારા બાળકો અને મારા જીવન અને મારી પત્ની અને દરેક વસ્તુ વિશે વિચારી રહ્યો હતો, આ ઝબકારો આવે છે અને મેં કહ્યું, હું નબળા થવાનું બંધ કરીશ. પહેલા અમે યુએસમાં સારવાર લેવાનું નક્કી કર્યું, પરંતુ વિઝા ન મળ્યા, તેથી મેં વિચાર્યું કે હું અહીં જ કરીશ.
સંજય દત્તે ન માની હાર
સંજયે ફરી જણાવ્યું કે ક્યા પ્રકારે તેમના પરિવારે તેમની સારવારની યોજના બનાવી અને ક્યા પ્રકારે ફિલ્મ સ્ટાર રિતિક રોશનનાં પિતા રાકેશ રોશને સંજય માટે ડોક્ટરની ભલામણ કરી. તેમણે કહ્યું કે તેમણે મને કહ્યું કે મારા વાળ ખરી જશે અને અન્ય વસ્તુઓ પણ થશે, મને ઉલ્ટી થશે, એટલે મેં ડોકટરને કહ્યું કે મને કંઈ નહીં થાય. હું મારા વાળ નહીં ગુમાવુ, હું ઉલ્ટી નહી કરું, હું પલંગ પર નહીં સૂવ અને તેઓ હસવા લાગ્યા. મેં કેમો થેરાપી કરી અને પાછો ફર્યો અને તે બાઈક પર હું એક કલાક બેસી રહ્યો, મેં સાયકલ ચલાવી, તે દિવસે મેં બધું જ કામ કર્યું. હું પાગલ બની ગયો હતો, હું કીમો માટે દુબઈ જતો હતો અને પછી હું બેડમિન્ટન કોર્ટ જતો હતો અને બે ત્રણ કલાક રમતો હતો.
તેમણે આગળ કહ્યું કે જયારે હું ડ્રગ એડીક્શનથી રીકવર થતો હતો ત્યારે લોકો મને ચરસી બોલાવતા હતા અને મને લાગ્યું કે આ ખોટું છે, મારે કંઈક કરવું જ પડશે અને એટલે મેં કસરતો કરવાની શરુ કરી અને ત્યારે ચરસીમાંથી લોકો કહેવા લાગ્યા કે વાહ, શું બોડી છે.
ખુદને આપ્યો પડકાર
ત્યાર બાદ સંજય જણાવે છે કે ક્યા પ્રકારે કેન્સર સાથે લડવા માટે ખુદને પડકાર આપવાની જરૂર છે અને ક્યા પ્રકારે તેમણે ખુદને ફરી મેળવવા માટે આ રસ્તો અપનાવ્યો છે. તેઓ બોલ્યા આ જ પ્રકારે તમે દરેક વસ્તુને પડકાર આપી શકો છો. આજે મને જિમ જતા બે મહિના થઇ ગયા છે. મેં ઘણું વજન ઘટાડ્યું છે. તમને ખબર છે સંજય દત્ત, હું એ સંજય ફરી બનવા માંગુ છું. મેં ખુદને જવા દીધો, હવે હું નહી જાઉં.