લોકડાઉનને કારણે અત્યારે સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સહિત તમામ દિગ્ગજ હસ્તીઓ પણ ઘરમાં કેદ છે. ત્યારે બોલિવૂડના સંજુ બાબા હાલ મુંબઈમાં પોતાના ઘરે છે જ્યારે તેની ફેમિલી લોકડાઉનને કારણે દુબઈમાં છે.
રિપોર્ટ મુજબ, લોકડાઉનને કારણે સંજય દત્તની પત્ની માન્યતાને બંને બાળકો સાથે દુબઈમાં જ
રહેવું પડી રહ્યું છે. ત્યારે આવા સમયે સંજય દત્ત ઘરે એકલો છે અને રામાયણ અને મહાભારત જેવી ધાર્મિત સીરિયલ જોઈને ટાઈમ પસાર કરી રહ્યો છે. આ દરમિયાન તેણે નોનવેજ ખાવાનું પણ બંધ કરી દીધું છે.
તમને જણાવી દઈએ કે, થોડાં સમય પહેલાં જ સંજય દત્તે લોકોમાં જાગરૂકતા ફેલાવવા એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે ફેન્સને આ મુશ્કેલ સમયમાં સેફ રહેવા અને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યો છે. સંજયે કહ્યું- આ ખરાબ સમય પસાર છઈ જશે. બસ સાવધાની રાખવાની જરૂર છે. બધાં જ પોતાના ઘરમાં રહો અને સરકાર જે ગાઈડલાઈન જણાવે છે તેનું પાલન કરો. બહુ જ અગત્યનું કામ હોય તો જ ઘરની બહાર નીકળો.