બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ફેફસાના કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડી રહ્યા છે. જો કે, આ મુશ્કેલ સમયમાં પણ તે તેના પરિવાર માટે હસતો હોય છે અને તેમની સાથે વધુને વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરે છે.
સંજય દત્તની ચાલી રહી છે સારવાર
કિમોથેરાપી બાદ થયા આવા હાલ
માન્યતા સંજયનું રાખે છે ખૂબ ધ્યાન
સંજય હાલમાં દુબઇમાં છે અને સમાચાર છે કે કિમોથેરાપીનો ત્રીજો તબક્કો ડોકટરો શરૂ કરવાના છે, કારણ કે તે જલ્દીથી મુંબઈ પરત ફરશે. તાજેતરમાં જ તેની પત્ની માનતા દત્તએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કપલ રોમેન્ટિક પોઝ આપતુ જોવા મળી રહ્યું છે પરંતુ જો તમે આ ફોટાને ધ્યાનથી જોશો તો સંજય શરીરે ખૂબ પાતળો દેખાઈ રહ્યો છે. બે કીમોથેરાપી પછી તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
પત્ની સાથે પોઝ આપતી વખતે સંજયના કપાળ અને ચહેરા પર કરચલીઓ હોય છે. મન્યાતાએ તેના પતિ સાથે ફોટો શેર કરીને રોમેન્ટિક ક કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું કે, તો જીવનમાં તમે આ રીતે સર્વાઇવ કરી શકો છો, તમે એક પગ પાર્ટનરના પગની આગળ મુકો છો અને બસ આ જ રીતે જીવનભર સાથે ચાલતા રહો છો.
માન્યતાએ તસવીરમાં પીળા કલરનો ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે જ્યારે સંજયે બ્લેક શર્ટ અને ગ્રે પેન્ટ પહેર્યું છે. રિપોર્ટ અનુસાર સંજયને તેના બાળકોની યાદ સતાવી રહી હતી માટે માન્યતા બાળકોને લઇને દુબાઇ ગઇ હતી. તેઓ જલ્દી જ મુંબઇ પરત ફરશે.
સંજયનો ઇલાજ ડૉ.જલીલ પાર્કર કરી રહ્યાં છે. હાલમાં કહેવું મુશ્કેલ છે કે સંજયને કેટલા ડોઝ કિમોના આપવામાં આવશે. કિમોથેરાપી બાદ પણ ફેફસાના કેન્સર સાથે લડવું આસાન નથી. તમને જણાવી દઇએ કે, ઇલાજ દરમિયાન લીલાવતી હોસ્પિટલમાં સંજયના ફેફસામાંથી 1.5 લીટર ફ્લુઇડ કાઢવામાં આવ્યું હતુ.
કેન્સરની સાથે સંજય તેમના કામ પર પણ ફોકસ કરી રહ્યાં છે. સંજય ઇલાજની સાથે સાથે ફિલ્મ શમશેરાનું શુટિંગ પણ કરી રહ્યાં છે. મેકર્સ ઇચ્છે છે કે તે સંપૂર્ણ રીતે પહેલા સ્વસ્થ થઇ જાય બાદમાં જ કામ પર પરત ફરે,
સંજયના આવા મુશ્કેલ સમયમાં તેમની પત્ની માન્યતા અડગ થઇને તેમની સાથે ઉભી છે. આશા રાખીએ કે સંજય જલ્દી જ સાજા થઇ જાય અને સૌનુ મનોરંજન કરતા રહે.