આઈપીએલની આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ની છેલ્લી મેચમાં કેપ્ટન એમએસ ધોનીએ સ્પષ્ટ કરી દીધું હતું કે આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ વિચાર નથી, પરંતુ હવે પૂર્વ ભારતીય બેટિંગ કોચ સંજય બાંગરએ ધોનીની કેપ્ટનશિપ અંગે મોટું નિવેદન આપ્યું છે. બાંગરના કહેવા મમુજબ, ધોની આગામી સિઝન માટે ફાફ ડૂ પ્લેસીને સીએસકેની કેપ્ટનશિપ આપી શકે છે.
છેલ્લી મેચમાં કેપ્ટન એમએસ ધોનીએ આઈપીએલને લઈને કરી હતી સ્પષ્ટતા
આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાનો તેનો કોઈ વિચાર નથી
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને કહ્યું કે તેને લાગે છે કે, ધોની આગામી સિઝનમાં ડૂ પ્લેસીને કેપ્ટનશિપ આપીને એક ખેલાડી તરીકેસીએસકે તરફથી રમી શકે છે. તેના મુજબ સીએસકે પ્લેસી સિવાયબીજો કોઈ વિકલ્પ નથી.
સીએસકે માટે આઇપીએલની આ સિઝન કોઈ ખરાબ સ્વપ્ન જેવી રહી છે. આઇપીએલની બીજી સૌથી સફળ ટીમ સીએસકે પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. ટીમ સાતમા સ્થાને હતી, ત્યારબાદ ધોનીની કેપ્ટનશિપ પર સવાલો ઉભા થવા લાગ્યા હતા. ક્રિકેટ કનેક્ટેડ સાથે વાત કરતા, બાંગરેએ કહ્યું કે, 2011 પછી, ધોનીએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ છોડવાનો વિચાર કર્યો હતો, પરંતુ તે જાણતો હતો કે કેટલીક મુશ્કેલ મેચો આવવાની છે અને ભારતને પણ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાનું હતું. તે સમયે, કોઈ પણ ખેલાડી સુકાની પદ માટે પણ તૈયાર નહોતો. ધોનીએ યોગ્ય સમયે કેપ્ટનશિપ વિરાટ કોહલીને સોંપી અને તે પછી તે ટીમમાં ખેલાડી તરીકે રમ્યો.
બાંગરેએ કહ્યું કે, તેને લાગે છે કે ધોની આઈપીએલ 2021 માટે સીએસકેની કમાન પ્લેસીને સોંપી દેશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટિંગ કોચ બાંગરેનું કહેવું છે કે, સીએસકે પાસે પ્લેસી સિવાય કેપ્ટનશિપ માટે બીજો કોઈ વિકલ્પ નથી. સાથે જ, ટીમની બહારની હરાજીમાં અથવા ટ્રેડિંગમાં કોઈપણ ટીમ આવા ખેલાડીને રિલીઝ કરશે નહીં કે જે સીએસકેનો કેપ્ટન બનવાની ક્ષમતા ધરાવે છે.