બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી, જ્યાં તેના ચાહકો અને કેટલીક હસ્તીઓ CBI તપાસની માગ કરી રહી છે, પોલીસ પણ આ કેસને સોલ્વ કરવા પ્રયાસ કરી રહી છે. 34 વર્ષની ઉંમરે અભિનેતાએ આવું પગલું કેમ લીધું છે, આ સમસ્યા હલ કરવા માટે મુંબઈ પોલીસ સતત તેના નજીકના લોકો અને મેનેજમેન્ટલ સ્ટાફની પૂછપરછ કરી રહી છે.
આ દરમિયાન સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચરા' અભિનેત્રી સંજના સંઘીએ મુંબઇથી દિલ્હી પરત ફરવાનો નિર્ણય લીધો છે. સોશ્યલ મીડિયા પર અભિનેત્રીએ પોતાના ઘરે પાછા જવાની માહિતી આપતી વખતે એવો સંકેત પણ આપ્યો હતો કે હવે તે ભાગ્યે જ મુંબઈ પરત ફરશે.
અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફ્લાઇટમાં ચડતા પહેલા મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 નો ફોટો મૂક્યો હતો. જેની સાથે તેણે એક ભાવનાત્મક પોસ્ટ પણ લખી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ કહ્યું હતું કે 'મેં મુંબઈ વિશે જે સાંભળ્યું હતું તેવુ નથી, ફોટો શૅર કરવા ઉપરાંત તેણે લખ્યું છે- 'ખુદા હાફિઝ, મુંબઈ તને 4 મહિના પછી જોઇ હતી, કદાચ મારા હૃદયની ઉદાસી મારો દ્રષ્ટિકોણ બદલી રહી છે'.
અભિનેત્રીની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે સુશાંત સિંહ રાજપૂતનાં મોતને કારણે તે ઉંડા શોકમાં છે અને હજી પણ તે આ ઘટનામાંથી બહાર નીકળી શકી નથી. મંગળવારે (30 જૂન) મુંબઇ પોલીસે સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ની મુખ્ય અભિનેત્રી સંજના સંઘીની પણ પૂછપરછ કરી હતી. પોલીસે અભિનેત્રીની લગભગ 9 કલાક પૂછપરછ કરી. 9 કલાકની પૂછપરછમાં પોલીસે સંજનાને સુશાંત સિંહ રાજપૂત પર મીટૂના આક્ષેપો તેમજ ફિલ્મ દરમિયાન ડિપ્રેશનમાં જવાને લગતા મહત્વના પ્રશ્નો વિશે પૂછ્યું હતું.