રાજકોટમાં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં સેનેટાઈઝરે આગ લગાવવાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. સેનેટાઈઝર એ સુરક્ષા માટે છે પણ તેનાથી જીવ પણ જઈ શકે છે. આગથી અને જ્વલનશીલ પદાર્થ સાથે સેનેટાઈઝરનો ઉપયોગ વિનાશ નોતરે છે. અગાઉ અમદાવાદમાં પણ બાઈકને સેનેટાઈઝ કરવા જતા આગની ઘટના વાયરલ થઈ હતી.
રાજકોટમાં કાળજુ કંપાવનારી ઘટના આવી સામે
સેનેટાઇઝરને કારણે લાગેલી આગમાં યુવક સળગ્યો
સ્પાર્ક થતા સેનેટાઇઝરમાં લાગી હતી આગ
કોરોના સંકટમાં સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સતર્કતા પણ જીવલેણ હોઈ શકે તેવી એક ઘટના સામે આવી છે. રાજકોટમાં જીવ કંપાવતી ઘટનાએ સૌ કોઈના હૈયાને હચમચાવી દીધુ છે. સેનેટાઇઝરને કારણે લાગેલી આગમાં યુવક ભડભડ સળગ્યો હતો.
સ્પાર્ક થતા સેનેટાઇઝરમાં આગ લાગી હતી. સેનેટાઇઝરની આગમાં યુવક લપેટાયો હતો. યુવક સળગતી હાલતમાં ઊભા રસ્તે ભાગ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ગોઝારી ઘટના કોઠારીયા રોડ પર આવેલા ઈન્ડ્રસ્ટ્રીઝ એરિયામાં ઘટી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 4, 2020
અગાઉ પણ ઘટી હતી ઘટના
અમદાવાદમાં એક ખાનગી કંપનીના ગેટ પર કર્મચારીઓની બાઈકના સેનિટાઈઝિંગ બાદ જ અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી હતી. આ કામગીરી દરમિયાન એક કર્મચારી પોતાની બાઈકને સેનિટાઈઝ કરાવી રહ્યો હતો ત્યારે અચાનક જ બાઈક આગની ઝપેટમાં આવી જતા દોડધામ મચી હતી. આ આગ લાગવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ગાડીમાં આગ લાગતા જ કર્મચારીને કંઇ સમજમાં ન આવ્યું. તે તાત્કાલિક ગાડી છોડીને ત્યાંથી દૂર ભાગી ગયો જ્યારે ત્યાં હાજર ગાર્ડ તે આગને બુઝાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આગ જ્યારે ન બુઝાઈ તો ગાર્ડ દોડીને ગયા અને આગ બુઝાવનાર યંત્ર લઇને આવ્યા. પછી ત્યાં હાજર લોકોને કોઈ પ્રકારની આગ પર કાબૂ મેળવી લેવાયો પરંતુ ત્યાં સુધીમાં બાઈક સળગી ગઇ.
સેનેટાઈઝરના ઉપયોગ સમયે શું ધ્યાનમાં રાખશો?
રસોડામાં, લાઈટર અને માચીસથી દૂર રાખો
હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગ બાદ આગથી દૂર રહેવું
થોડીવાર માટે રસોઈ ગેસ, લાઈટર, માચીસથી દૂર રહેવું
હેન્ડ સેનેટાઈઝરમાં આલ્કોહલનું પ્રમાણ ૭૫ ટકા હોય છે
જ્વલનશીલ હોવાને કારણે ઝડપથી આગને પકડી લે છે
હાથ સેનેટાઇઝ કર્યા બાદ હાથ સૂકાઈ જાય પછી કોઈ કામ કરો