કોરોના મહામારીના કારણે સમગ્ર દુનિયામાં દરેક બિઝનેસ પ્રભાવિત થયો છે, પરંતુ સેનિટાઈઝરનું બજાર સતત વધતું રહ્યું છે. લોકડાઉન બાદથી લગભગ ૫૦૦ નાના-મોટા મેન્યુફેક્ચર યુનિટ આ સેક્ટરમાં ઊતર્યાં છે, તેમાં ૧૫૨ એવી કંપનીઓ છે, જે સાબુ, બોડી, ફેશ અને હેન્ડ વોશની સાથે સાથે સેનિટાઇઝરનું પણ ઉત્પાદન કરે છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિયેશન (એઆઇડીએ)ના જણાવ્યા અનુસાર ૧૫૦થી વધુ ડિસ્ટિલરી પણ દેશમાં સેનિટાઇઝરનું ઉત્પાદન કરી રહી છે. દેશમાં આલ્કોહોલ બેઇઝ્ડ સેનિટાઇઝરની માંગમાં ૬૪ ટકા વધારો થયો છે
સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં ૮૫ ખાંડની મિલો, ૧૨ ડિસ્ટિલરી, ૩૭ કંપનીઓ અને નવ અન્ય સંસ્થાઓ પ્રતિદિન બે લાખ લિટર સેનિટાઇઝરનું ઉત્પાદન કરી રહી છે. ઉત્તરપ્રદેશ સરકારના આંકડા મુજબ ૭ મે સુધીમાં પ્રદેશમાં ૪૫.૧૫ લાખ લિટર સેનિટાઇઝરનું ઉત્પાદન થયું હતું, જેમાં ૧૯.૩૧ લાખ લિટર ૨૩ રાજ્યમાં સપ્લાય કરાયું છે.
નિલ્સન ઇન્ડિયાના જણાવ્યા મુજબ મહામારી બાદથી ભારતમાં સેનિટાઇઝર બજારમાં ચાર ગણો વધારો થયો છે. ૨૦૧૯ના માર્ચ મહિનામાં આ સેક્ટરનો કુલ બિઝનેસ ૧૦ કરોડ રૂપિયાનો હતો. માર્ચ-૨૦૨૦માં બિઝનેસ વધીને ૪૩ કરોડ રૂપિયાનો થયો હતો. ઉત્તરપ્રદેશના શેરડી અને ખાંડ વિભાગના આયુક્ત સંજય ભુસરેડ્ડીના કહેવા અનુસાર માર્ચમાં લગભગ ૫૦ પ્રોડક્શન કંપનીઓ રોજ ૬૦ હજાર લિટર સેનિટાઇઝરનું ઉત્પાદન કરતી હતી, પરંતુ માંગ વધ્યા બાદ કેટલીક ખાંડ કંપનીઓ અને મિલો, ડિસ્ટિલરી અને અન્ય સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે પ્રોડક્શન બે લાખ લિટર પ્રતિદિન થયું હતું.
ઉલ્લેખનીય છે કે ભાજપમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અન્ય સિનિયર જેવા નેતાઓ કરેલા કાર્યક્રમોને સોશ્યલ મીડિયા ઉપર બહોળો પ્રતિસાદ મળે છે અને પાર્ટીના કાર્યકર્તાઓથી લઇને CM સુધીના નેતાઓ આ પ્રવૃત્તિઓ, તેમની ટ્વીટ્સ વગેરે શેર કરે છે જેની સામે કોંગ્રેસ સોશ્યલ મીડિયા ઉપર નબળું પડતું હોય અને તેમના નેતાઓમાં હાઈ કમાન્ડ સાથે સંપર્ક અને સંકલનનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે.