સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસને લઈને મોટું એલાન કર્યું છે. ગયા વર્ષે જ સાનિયાએ બે વર્ષ બાદ ટેનિસ કોર્ટ પર વાપસી કરી હતી.
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું એલાન
જલ્દી જ લેશે સંન્યાસ
આ સીઝન પણ રમી શકીશ કે નહીં તે ખબર નથી: સાનિયા
સાનિયા લેશે સંન્યાસ
ભારતની સુપરસ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસનું એલાન કર્યું છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાર બાદ સાનિયાએ કહ્યું છે કે 2022નું સિઝન તેમના માટે અંતિમ છે. રમત ગમત જગતમાં સાનિયા મિર્ઝાનું મોટું યોગદાન છે એવામાં તેમના સંન્યાસના એલાનથી તેમના ચાહકો દુ:ખી છે.
@MirzaSania 'Still feel I can play well, go deep into tournaments and all that. But beyond this season I don’t see my by body do it either. It’s beat.'
શું કર્યું એલાન?
સાનિયાએ કહ્યું કે મેં નિર્ણય કર્યો છે આ સિઝન મારો અંતિમ જ રહેશે. હું એક એક સપ્તાહ રમી રહી છું, અને ખબર નથી કે આખું સિઝન રમી શકીશ કે નહીં. જોકે મારી ઈચ્છા તો છે જ આ આખું સિઝન રમી શકું.
ઑસ્ટ્રેલિયન ઓપનમાં ખરાબ શરૂઆત કરી
નોંધનીય છે કે સાનિયા અને યુક્રેનની તેમની સાથી નાદિયાએ ઑસ્ટ્રેલિયન ઓપનમાં પહેલા જ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે સાનિયા હજુ ગ્રેન્ડસ્લેમના મિક્સ્ડ દબલ્સમાં અમેરિકાના રાજીવ રામ સાથે હિસ્સો લેશે.