દ્વારકા જિલ્લાની વાત આવે ત્યારે પાણીનાં મુખ્ય સ્ત્રાોત તરીકે સાની ડેમનું નામ પહેલું આવે છે. દ્વારકા જિલ્લાનો વિશાળ એરિયામા પથરાયેલો આ ડેમ દ્વારકા તાલુકાના 45 અને કલ્યાણપુર તાલુકાના 65થી વધુ ગામોની 30 વર્ષથી તરસ છીપાવતો રહ્યો છે. 1989માં નિર્માણ થયેલો આ સાની ડેમ કલ્યાણપુર તાલુકાનાં 10 જેટલા ગામોની ખેતી માટ આશીર્વાદરૂપ બનતો આવ્યો છે. આ ગામોનાં ખેડૂતોની વિકાસની ગાથા સાની ડેમને આભારી રહી છે.
રાજ્યમાં જળસંગ્રહ માટે અનેક ડેમ બનાવવામાં આવ્યાં છે. પરંતુ તેમાંથી જેટલું પાણી બાષ્પીભવન થઈને ઊડી જાય છે તે કરતાં વધારે પાણી લીકેજ થઈને ચાલ્યું જાય છે. પરિણામે ઉનાળામાં પાણીની કટોકટી વખતે જ આવા ડેમ ખાલીખમ જોવા મળે છે. દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાટે જીવાદોરી સમાન ગણાતા સાની ડેમની પણ આવી હાલત છે. છેલ્લાં 30 વર્ષથી 110 ગામોની તરસ છીપાવતો સાની ડેમ હવે જિર્ણોદ્ધાર ઝંખી રહ્યો છે. ત્યારે કેવી છે આ ડેમની હાલત જોઈએ અમારા આ અહેવાલમાં.
દ્વારકા જિલ્લાની વાત આવે ત્યારે પાણીનાં મુખ્ય સ્ત્રાોત તરીકે સાની ડેમનું નામ પહેલું આવે છે. દ્વારકા જિલ્લાનો વિશાળ એરિયામા પથરાયેલો આ ડેમ દ્વારકા તાલુકાના 45 અને કલ્યાણપુર તાલુકાના 65થી વધુ ગામોની 30 વર્ષથી તરસ છીપાવતો રહ્યો છે. 1989માં નિર્માણ થયેલો આ સાની ડેમ કલ્યાણપુર તાલુકાનાં 10 જેટલા ગામોની ખેતી માટ આશીર્વાદરૂપ બનતો આવ્યો છે. આ ગામોનાં ખેડૂતોની વિકાસની ગાથા સાની ડેમને આભારી રહી છે.
જો કે, હવે આ ડેમને 30 વર્ષ પૂરા થઈ ગયા છે ત્યારે સાની ડેમ જિર્ણોદ્ધાર ઝંખી રહ્યો છે. કેમ કે, જળનાં એક એક ટીપાનો સંગ્રહ કરનારા આ ડેમ માંથી કેટલાક ઘનફૂટ પાણી તેની તિરોડોમાંથી જ વહી જાય છે. વીટીવીએ જ્યારે આ સાની ડેમનું રીઆલિટી ચેક કર્યું તો ડેમનાં આગળનાં ભાગમાં અનેક જગ્યાએ તિરાડો જોવા મળી. 30 વર્ષ જૂનું આ બાંધકામ હવે જર્જરિત થઈ ગયું છે. ક્યાંક પોપડા ઊખડી ગયેલા છે તો ક્યાંક પાણીનો માર સહન કરીને હવે પિલ્લરો થકી ગયા હોય તે રીતે પિલ્લરોમાં પણ તીરાડો જોવા મળી હતી. હાલ જ્યારે આ ડેમ ખાલીખમ છે ત્યારે સ્થાનિક ખેડૂતો ઈચ્છી રહ્યાં છે કે, ડેમને રિપેર કરવામાં આવે.
આ સાની ડેમ સમગ્ર ગુજરાતમા ચર્ચાનું કેન્દ્ર ત્યારે બન્યો હતો જ્યારે 2010માં ડેમનાં ગેટ તૂટી જતા ભારે ઉહાપોહ થયો હતો. તંત્ર દ્વારા યોગ્ય જાળવણીનાં અભાવે આ ડેમનો ગેટ તૂટતાં ચારે તરફ પાણી વહી ગયું હતું. ફરી વાર 2011માં પણ ગેઇટ તૂટી ગયો હતો. આમ તંત્રની બેદરકારીનાં લીધે સળંગ બે વર્ષ પાણી વહી ગયા હતાં. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાં વ્યાપક નુકસાન થયું હતું.
જો કે, તંત્રએ વર્ષ 2012- 13 કામગીરી શરૂ કરી તમામ ગેઇટ નવા બેસાડ્યાં હતાં. પરંતુ હવે એ વર્ષો જૂનું બાંધકામ સમારકામ માગી રહ્યું છે. ડેમનાં જૂના બાંધકામમાં તિરાડો અને પોપડા દેખાઈ રહ્યા છે. ત્યારે ફરી સ્વાભાવિક જ એ સવાલ થાય છે કે, શું તંત્ર પાણી છૂટ્યાં બાદ પાળ બાંધવા બેસવાના છે? હજુ ચોમાસાના પૂરજોશ આગમનને થોડો સમય બાકી છે ત્યારે સંભવિત નુકસાનીથી બચવા તંત્ર દ્વારા આ ડેમનું રીનોવેશન કરાવવું જરૂરી છે.