રાજકારણમાં લોહીના સંબંધો ઘણી વાર વધારે મહત્વના સાબિત થતાં હોય છે. આવો જ દાખલો કંઈક યુપીમાં જોવા મળી રહ્યો છે. જો કે, રાજકારણમાં ઘણી વાર પરિવાર સામે બગાવત પણ થતી હોય છે.
સંઘમિત્ર મૌર્યાએ પાર્ટી અને પરિવાર વચ્ચે કરી સ્પષ્ટતા
પિતા-પુત્રી અલગ અલગ પાર્ટીમાં હોવાથી અનેક તર્ક વિતર્ક
પિતા મારા માટે સૌથી મહત્વની વ્યક્તિ, તેમના વિરુદ્ધ નહીં કરુ પ્રચાર
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. પણ તેમની દિકરી અને બદાયૂથી સાંસદ સંઘમિત્રા મૌર્ય હજૂ પણ ભાજપમાં છે. સંઘમિત્રા મૌર્યાએ કહ્યુ છે કે, પ્રધાનમંત્રી મોદી પણ તેમના પિતા તરફ છે. જો પાર્ટી કહેશે તો પણ મારા પિતા વિરુદ્ધ ચૂંટણી પ્રચાર નહીં કરુ. હું ભાજપની સાથે છું અને રહીશ. મારા પિતાએ સપા જોઈન કર્યા પહેલા કોઈ વાત કરી નહોતી. મારા પર ભાજપ છોડવાનું કોઈ દબાણ નથી. પારિવારીક જીવન અને રાજકીય જીવન એકદમ અલગ છે. હું સમગ્ર રાજ્યમાં ભાજપનો પ્રચાર કરીશ, પણ પાર્ટી કહેશે તો પણ પિતા વિરુદ્ધ પ્રચાર નહીં કરું. મારા ભાજપના લોકોને વફાદારીનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી.
સ્વામી પ્રસાદ મૌર્ય કુશીનગરની પડરૌના સીટથી ધારાસભ્ય છે. સ્વામી પ્રસાદ મૌર્યએ હાલમાં જ ઉત્ત પ્રદેશ સરકારમાંથી મંત્રી પદેથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. વર્ષ 2016માં સ્વામી પ્રસાદ મૌર્ય માયાવતીની બહુજન સમાજ પાર્ટી છોડીને 2017માં યુપી ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતાં.
સ્વામી પ્રસાદ મૌર્ય સમાં શામેલ થવા પર સંઘમિત્રા મૌર્યએ ફેસબુક પર એક લાંબી પોસ્ટ પિતા અને પાર્ટીની વચ્ચે સંતુલન બનાવવાની કોશિશ કરતી લખી હતી, કે તેઓ વડાપ્રધાન મોદીની સાથે છે. હું કંઈ માગુ અને પુરુ ન થાય તેવી સ્થિતી તો નથી. હું સાદ કરૂ અને પપ્પા સાંભળે નહીં, એટલા પણ અમે દૂર નથી. પિતા અને દિકરીનો સંબંધ દુનિયાનો સૌથી મજબૂત સંબંધ છે. હું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજીને મને દિકરી તરીકે મારા પિતા પાસેથી માગેલા વચનમાં બંધાયેલી છું.
જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરી અને સાતમા તબક્કાનું મતદાન 7 માર્ચે થશે. તો વળી મતગણતરી 10 માર્ચે થશે.