દેશનું અનોખુ મંદિર જ્યાં ભગવાનને બર્ગર, સેન્ડવિચ અને બ્રાઉનીનો ભોગ ચઢાવવામાં આવે છે. અહીં પ્રસાદ રૂપે આવતા ભક્તોમાં વહેંચવામાં આવે છે. આ ઉપરાંત શ્રદ્ધાળુ મંદિરમાં લગાવેલા વેંડિંગ મશીનમાં ટોકન નાખીને પ્રસાદનો ડબ્બો લઇ શકે છે.
ચેન્નઈના પડપ્પાઈમાં સ્થિત જય દુર્ગા પીઠમ મંદિર
અહીં પ્રસાદ તરીકે બર્ગર અને સેન્ડવિચ ધરાવવામાં આવે છે
આ મંદિરનો પ્રસાદ FSSAIથી છે પ્રમાણિત
આ મંદિરમાં ભગવાનને સેન્ડવિચ અને બર્ગર ધરાવવામાં આવે છે
સામાન્ય રીતે મંદિરોમાં ભગવાનને પ્રસાદ તરીકે મિસરી, કિશમિશ, ઈલાયચી દાણા, સીંગ દાણા, બૂંદી અથવા લાડુ ચઢાવવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઇ રહ્યાં છે, જ્યાં પ્રસાદમાં સેન્ડવિચ, બ્રાઉની અને બર્ગર મળે છે. દેશમાં એક મંદિર એવુ પણ છે, જ્યાં પ્રસાદ રૂપે શ્રદ્ધાળુઓને બર્ગર અને સેન્ડવિચ આપવામાં આવે છે. આ મંદિર તામિલનાડુમાં છે. ચેન્નઈના પડપ્પાઈમાં સ્થિત જય દુર્ગા પીઠમ મંદિર છે. અહીં પ્રસાદ તરીકે શ્રદ્ધાળુને બ્રાઉનીઝ, બર્ગર અને સેન્ડવિચ મળે છે.
મંદિરનો પ્રસાદ FSSAIથી પ્રમાણિત
મંદિર અંગે એક વાત પ્રસિદ્ધ છે કે આ મંદિરનો પ્રસાદ FSSAIથી પ્રમાણિત છે. આ સાથે આ પ્રસાદ પર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે. હાલમાં આ મંદિરને મોર્ડનાઈઝ કરવામાં આવ્યું હતુ અને પ્રસાદના મેન્યુને પણ મોર્ડનાઈઝ કરવામાં આવ્યું છે. જેમાં લાડુ અને મિઠાઈઓને પ્રસાદમાંથી હટાવીને બર્ગર અને સેન્ડવિચ કરી દીધુ છે. અહીં શ્રદ્ધાળુ વેંડિંગ મશીનમાં ટોકન નાખીને પ્રસાદનો ડબ્બો લઇ શકે છે.
મંદિરના પ્રસાદ પર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે
આ મામલે મંદિરના સંસ્થાપકનુ કહેવુ છે કે ઘણી વખત એવુ જોવા અને સાંભળવા મળ્યું છે કે મંદિરોમાં ખરાબ પ્રસાદ વહેંચી દેવામાં આવે છે. જેના કારણે શ્રદ્ધાળુઓની તબિયત ખરાબ થાય છે. લોકો આસ્થાને કારણે પ્રસાદ ગ્રહણ કરી લે છે. એવામાં જય દુર્ગા પીઠમ મંદિરમાં તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ મંદિરમાં બનાવેલી સેન્ડવિચ અને બર્ગરની ઉપર ડેટ લખેલી હોય છે કે ક્યા સુધી તેને ખાઈ શકાય છે.