સુશાંત સિંહ રાજપૂતના ગયા બાદ એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યાં છે. તેની સાથે થયેલ ભેદભાવ હોય કે તેની રિલેશનશીપ દરેક નાની મોટી વાત હવે સામે આવી રહી છે. ત્યારે સુશાંતના બેહદ નજીકના મિત્ર સંદિપે નિવેદન આપ્યુ હતું. તેણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે અંકિતા સુશાંતના જીવનમાં એની માતાનુ સ્થાન લઇ ચૂકી હતી.
સુશાંત સિંહ રાજપૂત માટે પરફેક્ટ હતી અંકિતા
મિત્ર સંદિપે કર્યો ખુલાસો
રિયા સાથેના સંબંધની ન હતી જાણકારી
સંદિપે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અંકિતા માત્ર તેની ગર્લફ્રેન્ડ નહોતી તેના જીવનમાં તે ખૂબ મહત્વની બની ગઇ હતી. સુશાંતના જીવનમાં તે તેના માતાનુ સ્થાન લઇ ચૂકી હતી અને સુશાંતનુ એ રીતે ધ્યાન રાખતી હતી જેવુ કોઇ વ્યક્તિ કોઇનું ન રાખે. માત્ર અંકિતા જ એવી વ્યક્તિ હતી કે તે સુશાંતને બચાવી શકતી હતી.
A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on
સુશાંતની પસંદનુ રાખતી ધ્યાન
અંકિતા સુશાંતની દરેક વસ્તુ વ્યવસ્થિત થાય તેનુ ધ્યાન રાખતી હતી. સુશાંતને ગમે તેવી જ રીતે તૈયાર થતી હતી, તેને ભાવે તેવી જ રસોઇ બનાવતી હતી. ઘરનુ ઇન્ટીરીયર પણ સુશાંતની પસંદનું હતું. સંદિપે કહ્યું કે દરેકને અંકિતા જેવી છોકરી મળવી જોઇએ.
A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on
સુશાંત માટે કરિયર છોડવા તૈયાર હતી
અંકિતા ખૂબ જ ભાવૂક છે અને તે સુશાંત માટે કરિયર છોડવા પર પણ તૈયાર હતી. જ્યારે અંકિતા પોતાના કરિયરના પિક પર હતી ત્યારે તે આ નિર્ણય લેવા તૈયાર હતી. તે ટીવી પર મોટુ નામ હતી અને તેને ફિલ્મોની ઘણી ઑફર આવી રહી હતી. બ્રેક અપ બાદ પણ સુશાંતની ફિલ્મ રિલીઝ થાય તો તેની સફળતા માટે પ્રાથના કરતી હતી.
અંકિતાની હતી ચિંતા
સંદિપે કહ્યું કે જ્યારે સુશાંતે આ પગલુ ભર્યુ ત્યારે તેને સૌથી વાધારે ચિંતા અંકિતાની હતી, કારણકે તે સુશાંતને ખૂબ જ પ્રેમ કરતી હતી. સંદિપ પોસ્ટમોર્ટમ બાદ અંકિતાને મળવા ગયો હતો અને તેણે જે રીતે સંદિપને હગ કર્યુ તેવુ તેણે કોઇ દિવસ નથી કર્યું.
રિયા સાથેના સંબંધની ન હતી જાણકારી
સંદિપે જણાવ્યું કે રિયા સાથેના સુશાંતના સંબંધ વિષે તેને કોઇ જ જાણકારી નહોતી. તે અંકિતા અને સુશાંતની રિલેશનશીપથી વાકેફ હતો અને તે હંમેશા તેમની યાદોથી વાકેફ રહેવા માંગે છે. અંકિતા અને સુશાંત એક બીજા સાથે લગ્ન કરવાના હતા બાકી સુશાંત કોઇની સાથે લગ્ન કરવાનો હોત તો સંદિપને તેની જાણકારી નહોતી.