બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:20 PM, 13 December 2024
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun Arrested) ની શુક્રવારે હૈદરાબાદ પોલીસે તેમના ઘરેથી ધરપકડ કરી લીધી. હૈદરાબાદમાં તાજેતરમાં થયેલી નાસભાગના સંદર્ભમાં આ ધરપકડ કરવામાં આવી છે. 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં પુષ્પા 2 ના સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં એક 35 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું અને તેના નવ વર્ષના પુત્રને ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેની હજુ સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરીને માફી માંગી હતી અને મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરી હતી.
ADVERTISEMENT
આ ઘટના બાદ અલ્લુ અર્જુનની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. અલ્લુ અર્જુને (Allu Arjun Arrested) તેમની સામે નોંધાયેલી FIR રદ કરવા માટે તેલંગાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. મહિલાના પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે 5 ડિસેમ્બરે અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ સાથે થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું કે મૃતકના પરિવારની ફરિયાદના આધારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં અભિનેતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી પોલીસે થિયેટરના માલિક અને તેના ઈન્ચાર્જની પણ ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
દોષિત સાબિત થવા પર કેટલી સજા
ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 105 મુજબ, દોષિત વ્યક્તિને ઓછામાં ઓછી 5 વર્ષથી આજીવન કેદની સજાની જોગવાઈ છે. આ સિવાય કોર્ટ દોષિત વ્યક્તિ પર દંડ પણ લગાવી શકે છે. જ્યારે BNS 118(1)માં દોષી સાબિત થવા પર 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ સિવાય 20,000 રૂપિયાના દંડની પણ જોગવાઈ છે.
BNS ની કલમ 105
BNS, 2023 ની કલમ 105, ગેર ઈરાદે હત્યા સાથે સંબંધિત છે, જે હત્યા બરાબર નથી. આ કલમ ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે, પરંતુ પહેલાથી જ તે વ્યક્તિને મારવાનો ઈરાદો નહોતો. અલ્લુ અર્જુન પર સેક્શન 105 હેઠળ સુરક્ષા નિયમોની અવગણના અને બેદરકારીનો આરોપ છે. આ કલમ હેઠળ ઓછામાં ઓછી પાંચ વર્ષથી દસ વર્ષની જેલ અથવા આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
BNSની કલમ 118(1)
કલમ 118 ખતરનાક માધ્યમોનો ઉપયોગ કરીને સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવા અથવા ગંભીર ઇજા પહોંચાડવા સાથે સંબંધિત છે. પોલીસનું માનવું છે કે કલમ 118 (1) હેઠળ સુરક્ષા નિયમોનું પાલન કરવાની જવાબદારી અલ્લુ અર્જુનની હતી અને નિયમોનું પાલન ન કરવાને કારણે તેમના પર આ કલમો લગાવવામાં આવી છે. 118 (1) હેઠળ, જો કોઈ વ્યક્તિ ખતરનાક હથિયારો અથવા માધ્યમોનો ઉપયોગ કરીને કોઈને ઈજા પહોંચાડે છે અથવા નુકસાન પહોંચાડે છે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચો: શું હતો સંધ્યા થિયેટર કેસ જેના કારણે થઈ અલ્લૂ અર્જુનની ધરપકડ? એક ભૂલ પુષ્પાને પડી ભારે
કલમ 118(1) BNS હેઠળ ગુનાઓનું જામીનપાત્ર અથવા બિનજામીનપાત્ર તરીકે વર્ગીકરણ ગુનાની વિશિષ્ટ પ્રકૃતિ પર આધારિત છે. જો કલમ 118(1) BNS જો ગુનાને બિન-જામીનપાત્ર ગુના તરીકે વર્ગીકૃત કરવામાં આવે, તો આરોપીને જામીન મેળવવાનો આપોઆપ અધિકાર રહેશે નહીં. કોર્ટે નિર્ણય લેતા પહેલા ફરિયાદ પક્ષની દલીલો ધ્યાનમાં લેવી પડશે. આ અંતર્ગત જો દોષિત ઠરે તો તમને ત્રણ વર્ષ સુધીની જેલ અથવા વીસ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT