સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના ચેરમેન લી કુન-હીનું રવિવારે 78 વર્ષની ઉંમરે નિધન થયું છે. કંપનીએ પોતાના તરફથી નિધનની પુષ્ટિ કરી છે. કંપનીએ કહ્યું કે દુઃખ સાથે સૂચિત કરાય છે કે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના ચેરમેન લી કુન -હીનું આજે નિધન થયું છે. તેઓએ સેમસંગને દુનિયાની સૌથી શ્રેષ્ઠ ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓમાંની એક બનાવી હતી. તેની વિરાસત હંમેશા રહેશે.
સેમસંગના ચેરમેનનું નિધન
78 વર્ષની ઉંમરે થયું નિધન
2014માં આવ્યો હતો એટેક
લીને 2014માં હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાર પછી તેઓ અસ્વસ્થ રહેતા હતા. તેમના બાદ વાઈસ ચેરમેન લી જાય-યોંગે કંપનીને સંભાળી. લીને 2017માં લાંચ આપવાના અને પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક-જ્યૂન-હ્યેની સાથેના અપરાધમાં દોષી ગણાવાયા હતા. એક વર્ષની જેલની સજા બાદ તેમને છોડી દેવાયા હતા. આ કેસમાં સુનાવણી માટે ફરીથી કોશિશ કરાઈ રહી છે.