અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ છે. ખિલાડી કુમારની મૂવીના આવા હાલની કોઈએ કલ્પના પણ ન હકી કરી.
ફ્લોપ થઈ સમ્રાટ પૃથ્વીરાજ
અક્ષયની એક્ટિંગ પર ઉઠ્યા સવાલ
ફિલ્મ માટે 100 કરોડ કમાવવા મુશ્કેલ
બોલિવુડ એક્ટર અક્ષય કુમારની હાલની રિલીઝ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ વર્ષ 2022ની મચઅવેટેડ ફિલ્મ હતી. પરંતુ જ્યારે મુવી બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઉ તો બધા ચોંકી ઉઠ્યા હતા. ફિલ્મને દર્શક જ ન હતા મળ્યા. 200 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ માટે 100 કરોડ કમાણી પણ મુશ્કેલ સાબિત થઈ. એવામાં મોટો સવાલ એ છે ફિલ્મના ફ્લોપ બિઝનેસ માટે જવાબદાર કોણ છે?
સમ્રાટ પૃથ્વીરાજમાં અક્ષયે કર્યા નિરાશ
એક રિપોર્ટ અનુસાર સમ્રાટ પૃથ્વીરાજના ખરાબ બિઝનેસથી પ્રોડ્યુસર આદિત્ય ચોપડા ખૂબ જ નારાજ છે. તેમણે ફિલ્મના ના ચાલવા માટે સંપૂર્ણ જવાબદાર અક્ષય કુમારને ગણાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જયેશભાઈ જોરદાર બાદ સમ્રાટ પૃથ્વીરાજ યશરાજ બેનરની બીજી ફ્લોપ છે. જયેશભાઈ જોરદારની ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં ઝીરો ઓક્યુપેન્સીના કારણે તેના શો કેન્સલ કરવામાં આવ્યા. પછી સમ્રાટ પૃથ્વીરાજનો પણ હાલ ખરાબ થયો છે.
ફિલ્મના ફ્લોપ થવા માટે જવાબદાર કોણ?
રિપોર્ટમાં સૂત્રોના હવાલે જાણકારી મળી કે ફિલ્મ ફ્લોપ જવાનો બ્લેમ ખિલાડી કુમારના માથે આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું- સમ્રાટ પૃથ્વીરાજને એખ સમર્પિત એકાગ્રતાની જરૂર હતી. ફિલ્મ માટે અક્ષય કુમારે અસલી મુછો સુધી પણ ન હતી ઉગાડી. કારણ કે તે ફિલ્મના બીજા પ્રોજેક્ટનો પણ ભાગ હતો.
જ્યારે તમે ઔતિહાસિક રૂપમાં કોઈ મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છો તો કેમ અક્ષય કુમારે બસ આજ એક પ્રોજેક્ટને ન કર્યો અને આજ કેરેક્ટમાં પોતાનું બેસ્ટ કેમ ન આપ્યું? આટલું જ નહીં ફિલ્મના આર્કિટેક્ટ પણ સમ્રાટ પૃથ્વીરાજના ફેલિયર માટે અક્ષયને જવાબદાર માની રહ્યા છે.
બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી માનુષી છિલ્લરની ડેબ્યુ ફિલ્મ
સમ્રાટ પૃથ્વી રાજને યશરાજ ફિલ્મે પ્રોડ્યુસ કરી હતી. મૂવીમાં સમ્રાટ પૃથ્વીરાજના રોલમાં લોકોને ખિલાડી કુમાર પસંદ ન આવ્યા. અને મૂવી લવર્સને અક્ષયની એક્ટિંગ પણ ઈમ્પ્રેસ ન કરી શકી. અક્ષય સાથે આ ફિલ્મમાં માનુષી છિલ્લરે ડેબ્યૂ કર્યું હતું. તેને કદાચ જ આ વાતનો અંદાજો હશે કે ફિલ્મ આટલી ખરાબ રીતે ધોવાશે. મૂવીનું ડાયરેક્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. તેમના ડાયરેક્શન પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.