આઈઆરએસ ઓફિસર સમીર વાનખેડેનું NCBમાં 4 મહિના માટે થયેલુ એક્સટેન્શન 31 ડિસેમ્બર 2021ના રોજ પૂર્ણ થઈ ગયું છે. હવે આ અધિકારીને વધારાનું એક્સટેન્શન આપવામાં આવ્યું નથી
સમીર વાનખેડેને NCBમાં વધારાનું એક્સટેન્શન નહીં
મંત્રી નવાબ મલિકે તેમના પર ગંભીર આરોપો કર્યા હતા
આર્યન ખાન ડ્રગ્સ કેસથી હતા ચર્ચામાં
સમીર વાનખેડ સાથે જોડાયેલી મોટી ખબર મળી રહી છે. મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને હવે NCBમાં વધારાનું એક્સટેન્શન નહિ મળે. તેમનું હાલનું એક્સટેન્શન 31 ડિસેમ્બર 2021 પૂરું થઈ ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે સમીર વાનખેડે એ IRS ઓફિસર છે જે મુંબઈના અનેક ચર્ચિત ડ્રગ્સ કેસોને લઈ ચર્ચામાં રહ્યા છે. તે સિવાય આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ તે સતત સમાચારોમાં રહ્યા હતા. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે તેમના પર ગંભીર આરોપો કર્યા હતા
આ પહેલા 6 કેસ લેવાયા હતા પરત
મુંબઈ ઝોન પાસેથી આર્યન ખાન સહિતના 6 કેસ પરત લઇ લેવામાં આવ્યા છે.તો આ સાથે જ સમીર વાનખેડેને આ કેસમાંથી હટાવીની સમગ્ર તપાસ સંજય સિંહને સોંપવામાં આવી હતી. મુંબઈ ઝોનના આ વિભાગના ડિરેક્ટર સમીર વાનખેડે જ અત્યાર સુધી હતા.