બહુચર્ચિત ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને આ કેસમાંથી ક્લિનચીટ મળી ગઈ છે, જો કે, આ કેસની તપાસ કરી રહેલા મુખ્ય અધિકારી સમીર વાનખેડે હવે ભરાઈ ગયા છે. તેમના પર કેટલાય આરોપ લાગ્યા છે.
આર્યન ખાનને NCBએ ક્લિન ચીટ આપી દીધી
તપાસ અધિકારી સમીર વાનખેડે ભરાઈ ગયા
કેટલાય ગંભીર આરોપ લાગ્યા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના મુંબઈના પૂર્વ ડાયરેક્ટર સમીર વાનખેડેની ચારેતરફ ટીકા થઈ રહી છે કારણ કે, કેન્દ્રીય એજન્સીની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનને ડ્ર્ગ્સ સહિતના કેસોમાં ક્લીન ચીટ આપી દીધી છે. ખાને તેના માટે 20 દિવસ જેલમાં પણ વિતાવવા પડ્યા હતા. સરકારે સમીર વાનખેડે વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા છે. જેમણે આર્યન ખાનની ધરપકડ કરી હતી.
એનસીબીએ આરોપ પત્રમાં આર્યન ખાનનું નામ સામેલ નથી કર્યું. સાથે જ વાનખેડે દ્વારા તપાસ દરમિયાન કોઈ મેડિકલ ટેસ્ટ અને વીડિયોગ્રાફી પણ નહોતી કરી
આઈઆરએસ અધિકારી સમીર વાનખેડેના એનસીબી કાર્યકાળ 31 ડિસેમ્બર 2021ના રોજ સમાપ્ત થઈ ગયો હતો. તેમને વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે પણ વાનખેડેની વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વિશે કેટલાય ઘટસ્ફોટ કર્યા હતા.
નકલી કાસ્ટ સર્ટિફિકેટ
નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે, સમીર વાનખેડેે નકલી જાતિ પ્રમાણપત્ર જમા કરાવ્યું હતું અને અનુસૂચિત જાતિ માટે અનામત પદ પ્રાપ્ત કર્યું હતું.
નકલી ધર્મ-
મલિકે આરોપ લગાવ્યો હતો કે, વાનખેડે ન ફક્ત જાતિ પ્રમાણપત્ર નકલી બનાવ્યું છે, પણ પોતાના ધર્મને પણ નકલી બતાવ્યો છે. સમીર વાનખેડેની શબાના કુરૈશી સાથે પહેલા લગ્નની તસ્વીર જાહેર કરતા મહારાષ્ટ્રના મંત્રીએ દાવો કર્યો હતો કે, સમીર વાનખેડે એક મુસ્લિમ છે. તેમના પિતાનું સાચુ નામ જ્ઞાનદેવ દાઉદ વાનખેડે છે. આવો તેમને દાવો કર્યો હતો.
બારના માલિક-
નવાબ મલિકે એવો પણ આરોપ લગાવ્યો હોત કે, વાનખેડેની નવી મુંબઈમાં એક બારનો માલિક છે તેમણે ફક્ત 17 વર્ષની ઉ્ંમરમાં જ બારનું લાયસન્સ મેળવી લીધું હતું.
નકલી દરોડા પાડ્યા-
સમીર વાનખેડે પર અન્ય આરોપમાં નકલી દરોડા પાડી વસૂલી કરવાનો પણ આરોપ લગાવ્યો. આવો જ આરોપ આર્યન ખાન કેસમાં પણ સામે આવ્યો છે.
સમીર વાનખેડે હવે ક્યાં છે ?
સમીર વાનખેડે એનસીબીમાં પોતાના કાર્યકાળના વિસ્તારની માગ નથી કરી અને રેવન્યૂ ગુપ્તચર વિભાગમાં પાછા જતાં રહ્યા છે, જ્યાં તેઓ પહેલા હતા. એનસીબી દ્વારા આર્યન ખાનને ક્લિન ચીટ આપ્યા બાદ વાનખેડેએ આ મુદ્દા પર ટિપ્પણી કરવાથી ભાગી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, હુ આ મુદ્દે કોઈ ટિપ્પણી નહીં કરૂ, કેમ કે હું હવે એનસીબીનો ભાગ નથી.