મુંબઈ પોલીસે લાંચની તપાસ કરતા જ NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે બરાબરના ભડક્યા છે.
મુંબઈ પોલીસે લાંચની તપાસ કરતા ભડક્યા સમીર વાનખેડે
બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી અરજી
અરજીમાં કહ્યું કાયદો તોડનાર લોકો માટે હું સારો અધિકારી નથી
મુંબઈ પોલીસે તેની સામે તપાસ શરૂ કર્યા બાદ NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક સાધ્યો હતો. પોતાની અરજીમાં સમીરે કહ્યું હતું કે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે તેઓ એવા લોકો માટે "અનુકૂળ" અધિકારી નથી કે જેઓ કાયદો તોડવા માંગે છે અથવા પોતાને કાયદાથી પર માને છે.
હું ડ્રગ પેડલર નથી - સમીર વાનખેડે
વાનખેડે વતી બોમ્બે હાઈકોર્ટમાં વકીલ અતુલ નંદાએ કહ્યું હતું કે, "જો મુંબઈ પોલીસ આજે મારી ધરપકડ કરે તો જ્યાં સુધી રાજ્ય મારા અધિકારોનું ઉલ્લંઘન ન કરે ત્યાં સુધી જસ્ટીસે રાહ જોવી જોઈએ નહીં. મારા અધિકારોનું રક્ષણ કરવામાં આવશે, એવી આશા છે. તેમણે કહ્યું કે હું કોઈ ડ્રગ પેડલર નથી. વકીલે વધુમાં જણાવ્યું હતું કે અરજદાર (સમીર વાનખેડે) ઘણા લોકો માટે "યોગ્ય" નથી જેઓ કાયદાથી બચવા અથવા ઉપર જવા માંગે છે.
મુંબઈ પોલીસ વાનખેડે સામેના લાંચના કેસની તપાસ શરુ કરી
પ્રભાકર શૈલે દાવો કર્યો હતો કે આર્યન ખાનને મુક્ત કરવા માટે 25 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી, જેમાંથી 18 કરોડ રૂપિયા પર સંમતિ સમેટી હતી. તેમાંથી આઠ કરોડ વાનખેડેને આપવાનાં હતાં. એનસીબી અને કિરણ ગોસાવીમાં દસ કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હોત. આ ઉપરાંત મંત્રી નવાબ મલિકે વાનખેડે સામે અન્ય અનેક આક્ષેપો પણ કર્યા છે.