મુંબઈ ડ્રગ્સ કેસમાં બહુ મોટા અપડેટ આવ્યા છે.હવે મુંબઈ NCB આ કેસની તપાસ નહીં કરે,આ એ જ કેસ છે જેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફસાયો હતો.
મુંબઇ ક્રૂઝ ડ્રગ કેસને લઇને મહત્વના સમાચાર
સમીર વાનખેડેને આર્યન કેસમાંથી હટાવાયા
સંજય સિંહ કરશે મુંબઇ ક્રૂઝ કેસની તપાસ
આ ઉપરાંત નવાબ મલિકના જમાઈ વિરુદ્ધ જે કેસ ચાલી રહ્યો હતો તેની તપાસ પણ હવે મુંબઈ ઝોનની નારકોટીક્સ કંટ્રોલ બ્યુરો નહીં કરે. મુંબઈ ઝોન પાસેથી આર્યન ખાન સહિતના 6 કેસ પરત લઇ લેવામાં આવ્યા છે.તો આ સાથે જ સમીર વાનખેડેને આ કેસમાંથી હટાવીની સમગ્ર તપાસ સંજય સિંહને સોંપવામાં આવી છે.
I've not been removed from investigation. It was my writ petition in court that the matter be probed by a central agency. So Aryan case & Sameer Khan case are being probed by Delhi NCB's SIT. It's a coordination b/w NCB teams of Delhi & Mumbai:NCB Zonal Dir Sameer Wankhede to ANI pic.twitter.com/Hf7ZrjwVex
આપને જાણકારી આપી દઈએ કે, મુંબઈ ઝોનના આ વિભાગના ડિરેક્ટર સમીર વાનખેડે છે .એવામાં આર્યન ખાન અને નવાબ મલિકનાં જમાઈના કેસ પરત જરૂર લેવાયા છે પરંતુ મુંબઈ ઝોનનાં ડાયરેક્ટર તો સમીર વાનખેડે જ રહેશે.
વાનખેડેએ આપ્યું મોટું નિવેદન
ઉલ્લેખનીય છે કે, સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, તેણે પોતે સીબીઆઈ અથવા એનઆઈએ જેવી કેન્દ્રીય એજન્સી દ્વારા તેમની સામેના આરોપોની તપાસ માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેના આધારે દિલ્હીના એક વરિષ્ઠ વરિષ્ઠ અધિકારીના નેતૃત્વમાં એક SITની રચના કરવામાં આવી છે, જે હવે આર્યન ખાન કેસ અને NCP નેતા નવાબ મલિકના જમાઈ સમીર ખાનની પણ તપાસ કરશે. મને ક્યાંયથી દૂર કરવામાં આવ્યો નથી. હું એ કેસનો તપાસ અધિકારી નહોતો. હું મારી જગ્યાએ છું.
Sameer Wankhede removed from 5 cases including the Aryan Khan case.
There are 26 cases in all that need to be probed.
This is just the beginning... a lot more has to be done to clean this system and we will do it.
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 5, 2021
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના આરોપો બાદ વાનખેડે એક મોટા વિવાદના કેન્દ્રમાં છે. વધુ મહત્વની વાત એ છે કે, આર્યન ખાન કેસમાં NCBના સાક્ષી પ્રભાકર સેલે તેના રેકોર્ડ અને કેસના સંચાલન પર સવાલો ઉઠાવ્યા હતા.
નવાબ મલિકે ટ્વીટ કરીને કહ્યું- આ તો બસ શરૂઆત છે
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસમાંથી સમીર વાનખેડેને હટાવવામાં આવ્યા બાદ NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકની પ્રતિક્રિયા તરત જ આવી હતી. નવાબ મલિકે ટ્વીટ કર્યું કે સમીર વાનખેડેને આર્યન ખાન કેસ સહિત 5 કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કુલ 26 કેસ છે જેની તપાસ કરવાની જરૂર છે. આ તો માત્ર શરૂઆત છે... આ સિસ્ટમને સાફ કરવા માટે ઘણું બધું કરવાની જરૂર છે અને અમે કરીશું.