કોરોનાની વેક્સિનને લઈને ભારતમાં ખૂબ જ ચર્ચાઓ જામી છે. ત્યારે કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ એક નિવેદનમાં ભાજપના લીડર અને પ્રવક્તા સંબિત પાત્રાને જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સંબિત પાત્રાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને નીચે લખ્યું હતું કે, રાશિદજી તમને લોકોને પહોંચી વળવાતો રાહુલ ગાંધી કાફી છે.
આપને જણાવી દઇએ કે, રાશિદ અલ્વીએ કહ્યું હતું કે, જેમ ભારત સરકાર CBI,ઇન્કમ ટેક્સ, ઈડીનો ઉપયોગ સાયલન્ટલી વિપક્ષ વિરૂદ્ધ કરી રહી છે તો વેક્સિન એક એવી ચીજ છે જેનો છાનામાના(સાયલન્ટલી) સામાન્ય લોકો માટે તેનો ઉપયોગ નહીં થાય પરંતુ વિપક્ષના નેતાઓ માટે જરૂર થવાનો છે.
અખિલેશજીના નિવેદનને નજરઅંદાજ ન કરી શકાય
ડર તો લાગશે જ કે આવા હાથોમાં સરકાર છે જે દેશના વિપક્ષને જેલમાં જોવા માગે છે અથવા તેની રાજકીય કારકિર્દી ખતમ કરવા માગે છે. માટે અખિલેશજીના નિવેદનને નજરઅંદાજ ન કરી શકાય.
જો કે, કોંગ્રેસી નેતાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, હું રાશિદજીને કહેવા માગું છું કે, તમને લોકોને પહોંચી વળવા માટે તો રાહુલ ગાંધી કાફી છે. તેના માટે કોઇ ષડયંત્ર કે ઇન્જેક્શનની જરૂર નથી. રાહુલ ગાંધી જ મોટું ઇંન્જેક્શન છે તે જેની પાસેથી પસાર થશે તે ખતમ થઇ જશે.
સંબિત પાત્રાની પોસ્ટ પર લોકોએ કરી કોમેન્ટ
ઉલ્લેખનીય છે કે, સંબિત પાત્રાની પોસ્ટને જોઇને લોકોએ રિએક્શન આપવાના શરૂ કર્યા હતા. પુનિત નામના યુઝર્સે લખ્યું કે, ભક્તોએ અલ્લાદીનનો ચિરાગ 6 વર્ષ સુધી રગડ્યો પરંતુ વિકાસ ન થયો અને પછી ખબર પડી કે તે અલ્લાદીનનો ચિરાગ નહીં પરંતુ ચાની કિટલી હતી.