ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ પર દેશમાં રાજકીય માહોર ગરમાયો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સવાલો પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસ ચીન પર ભ્રમ ફેલાવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસના શાસન દરમિયાન પાકિસ્તાન અને ચીને જમ્મૂ-કાશ્મીરની 78,000 સ્કવેર કિલોમીટર જમીન પચાવી લીધી હતી. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીના નિવેદનોથી દેશને નુકસાન થઇ રહ્યું છે.
ભારત-ચીન તણાવની વચ્ચે દેશમાં રાજકીય માહોલ ગરમાયો
ભાજપે કર્યો કોંગ્રેસ પર પલટવાર
કોંગ્રેસના શાસનકાળમાં ભારતની જમીન પર ચીન-પાકિસ્તાને કર્યો કબ્જો
કોંગ્રેસે ચીન-પાકિસ્તાન પર કરી ઐતિહાસિક ભૂલ
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના ટ્વિટને લઇને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસે ચીન અને પાકિસ્તાનના મુદ્દા પર ઐતિહાસિક ભૂલ કરી છે. એક પરિવારના મિસએડવેંચરના કારણે દેશને નુકસાન પહોંચ્યું છે. ભાજપના પ્રવક્તાએ સવાલ પૂછ્યો કે, સર્વદળીય બેઠકમાં કોંગ્રેસનું વલણ ચીન પ્રતિ નરમ કેમ હતું ? દેશ કોંગ્રેસને નામંજૂર કરી ચૂક્યું છે અને આ પાર્ટી ચીન પર ભ્રમ ફેલાવાનું કામ કરી રહી છે.
78 હજાર સ્કવોયર કાશ્મીરની જમીન હડપી
ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ 2012માં સંસદમાં પાકિસ્તાન અને ચીન પર પુછવામાં આવેલા એક સવાલને લઇને કોંગ્રેસને ઘેર્યું છે. પાત્રાએ કહ્યું કે યુપીએના શાસનકાળ દરમિયાન વાઇએસ ચૌધરીએ સંસદમાં સવાલ પૂછ્યો હતો. ચૌધરીએ પૂછ્યું હતું કે ચીન અને પાકિસ્તાને ભારતની કેટલી જમીન પચાવી લીધી છે. શું આગળ વધી વધારે જમીન પચાવી રહ્યું છે. સરકારે આ અંગે શું પગલા ઉઠાવ્યાં છે ? તેના પર તત્કાલિન વિદેશ રાજ્યમંત્રી ઇ અહમદે કહ્યું હતું, પાકિસ્તાન અને ચીને મળીને જમ્મૂ-કાશ્મીરમાં કુલ 78,000 સ્ક્યોર કિલોમીટર જમીન પચાવી રાખી છે. ચીનમાં જમ્મૂ-કાશ્મીરમાં 38,000 કિલોમીટર જમીન પર કબ્જો કરી રાખ્યો છે, જ્યારે પાકિસ્તાને એક સમજૂતિ હેઠળ 5,180 કિલોમીટર જમીન આપી દીધી હતી.
ગાંધી પરિવારના કારણે ભારતની જમીન ચીન-પાકિસ્તાનના કબ્જામાં
સંબિત પાત્રાએ કહ્યું કે નડ્ડાની તરફથી દેશ આજે સવાલ પૂછી રહ્યો છે. માં-દિકરો જવાબ આપે કે તમારા પરિવાર અથવા પરિવારની હેઠળ જે લોકો કામ કરે છે તેમણે દેશની 78 હજાર સ્કવોયર કિલોમીટર જમીન કેમ આપી દીધી. તમે 70 વર્ષો સુધી સરહદ પર સ્ટ્રકચર કેમ ન બનાવી. 2013માં કોંગ્રેસના તત્કાલિક રક્ષા મંત્રી એકે એંટનીએ કહ્યું હતું કે સરહદ પર કોઇ વિકાસ નહી કરીએ તે અમારી પોલીસી હશે. ગાંધી પરિવારના કારણે ભારતની જમીન ચીન-પાકિસ્તાનના કબ્જામાં છે.