ગુજરાતમાં એક તરફ ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે રાજકીય પાર્ટીઓ અત્યારથી આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે, ગુજરાતમાં પણ રાજકીય પાર્ટીઓ મફતની જાહેરાતો આપી રહી છે, જેને લઈને રાજકારણ ખેલાવાનું શરુ થઈ ગયું છે.
ફ્રીબીઝની જાહેરાતને લઈને ભાજપે કર્યા આપ પર પ્રહાર
સંબિત પાત્રાએ કેજરીવાલને આડે હાથ લીધા
મફતની જાહેરાત અને વેલફેર સ્કીમનો ફરક બતાવ્યો
ફ્રીબીઝને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ તેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર બરાબરના પ્રહારો કર્યા હતા. તેમણે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને કેજરીવાલ પર આકરાં પ્રહારો કરતા કહ્યું કે, 'મફતખોરી લાલચનો ચારો' છે. પાત્રાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ મફતની ભેટ એટલા માટે વહેંચી રહ્યા છે, જેથી તેમની મહત્વકાંક્ષાઓ પુરી થઈ શકે. તેમણે કહ્યું કે, કેજરીવાલ એવું બતાવે છે કે, તેમને આખી દુનિયાની ચિંતા છે, પણ અસલમાં આવું જરાયે નથી.
મફતની જાહેરાત અને વેલફેર સ્કીમનો ફરક બતાવ્યો
પાત્રાએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ પાસે આ ટાર્ગેટ છે કે દેશમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના ઈજ્જત વધે. તેમની પોતાની ઈચ્છાઓ પુરી થાય. તેમની ઈચ્છાઓ સતત આગળ વધતી રહે છએ. બસ આ જ કારણ છે કે તેઓ દિવસેને દિવસે ખોટુ બોલી રહ્યા છે. તેમનો ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે તેમનું આધિપત્ય વધે. તો વળી ફ્રીબીઝ અને વેલફેર સ્કીમમાં અંતર બતાવતા ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, વેલફેર એક ટાર્ગેટ ગ્રુપને આપવામાં આવે છે, જેમનાથી તેમનું જીવન ધોરણ સુધરે. જ્યારે ફ્રીબીઝથી દેશને અથવા કોઈને પણ લોંગ ટર્મ ફાયદો નથી.
તેમણે કહ્યું કે, 80 લાખ પરિવારને અન્ન આપવું વેલફેર છે. જ્યારે ફ્રીબીઝના દાણા નાખીને માછલી પકડવા જેવુ છે. કેજરીવાલ ફક્ત હું, મારુ અને મારા પરિવારનો ફાયદો જોવે છે. પાત્રાએ કહ્યું કે, પીએમ મોદીના કાળમાં ટાર્ગેટ યોજનાથી ગરીબી રેખામાં જીવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણએ કહ્યું કે, મફતખોરી લાલચનો ચારો છે. જેનાથી અરવિંદ કેજરીવાલ પોતાની મહત્વકાંક્ષાઓ પુરી કરી શકે છે. તેઓ એવો વ્યવહાર કરે છે, કે તેમને આખી દુનિયાની ચિંતા છે, પણ હું, મારુ અને મારી પાર્ટીના ફાયદા વિશે તેમને ચિંતા છે.
બિહારમાં સતા પરિવર્તન પર પાત્રાએ શું કહ્યું
પાત્રાએ આગળ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ ટીવી પર દેખાડતા હતા અને કહેતા હતા કે, પ્રદૂષણ છે, એટલા માટે એક જૈવ અપઘટિત રસાયણ વિકસિત કર્યું. તેમણે કહ્યું કે, તેનો છંટકાવ કરવામા આવી રહ્યો છે અને તે દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવશે, બાદમાં ખબર પડી કે, 60 લાખ રૂપિયાના કેમિકલમાં 24 કરોડની જાહેરાત આપી હતી. તો વળી બિહારમાં સત્તા પરિવર્તન પર તેમણે કહ્યું કે, સમગ્ર બિહારમાં ચોરી, સ્નેચિંગ, હત્યા, દુષ્કર્મ, લૂંટનું તાંડવ મચેલુ છે, બિહારમાં અવ્યવસ્થા ફેલાઈ રહી છે. તેજસ્વી યાદવે 2020માં કહ્યું હતું કે, અમે આવીશું તો, 10 લાખ નોકરીઓ આપીશું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, હવે આપ આવ્યા છો, તો 10 લાખ નોકરીનુ ંશું થશે ? તો તેજસ્વીએ કહ્યું કે, જુઓ હાલમાં હું મુખ્યમંત્રી નથી બન્યો, મેં કહ્યું હતું કે, જ્યારે હું મુખ્યમંત્રી બનીશ તો, નોકરીઓ આપીશ.