ભાજપનાં પ્રવક્તા અને નેતા સંબિત પાત્રાએ અગસ્તા વેસ્ટલેન્ડ ગોટાળાનાં મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલને લઇને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે મિશેલનાં પ્રત્યાર્પણ બાદ કોંગ્રેસ ઉદવિગ્ન થઇ હઇ.
તેઓએ મિશેલને બચાવવા માટે પોતાની ટીમ મોકલી. અલ્જો જોસેફ તેનાં માટે કોર્ટ સમક્ષ રજૂ થયાં અને બાદમાં તેઓએ આને હટાવી દીધાં. કોંગ્રેસ પરિવારની રાતોની ઉંઘ હરામ થઇ ગઇ છે. કોંગ્રેસનો અસલી ચહેરો સૌની સામે આવી ગયો છે.
પાત્રાએ કહ્યું કે 'શું આ સંયોગની વાત નથી કે ક્રિશ્ચિયન મિશેલનાં તમામ વકીલોને કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ છે. અલ્જો જોસેફ સિવાય મિશેલનાં બે વધુ વકીલ છે કે જેમાં વિષ્ણુ શંકર કે જેઓ કેરલનાં કોંગ્રેસ નેતાનાં પુત્ર છે અને બીજા શ્રીરામ પરક્કટ કે જે એનએસયૂઆઇનાં સભ્ય રહ્યાં છે.
આ ત્રણેય જણાંએ કોંગ્રેસનાં સૌથી મોટા નેતા સલમાન ખુર્શીદ અને કપીલ સિબ્બસ હેઠળ કામ કરેલ છે.' એ.કે જોસેફે ગઇ કાલે કહ્યું કે 'કોઇએ' તેઓને કેસ લડવા માટેનું કહ્યું તેઓ 'કોણ છે' આનો જવાબ કોંગ્રેસ આપે.
ભાજપ પ્રવક્તાએ કહ્યું કે 'ક્રિશ્ચિયન મિશેલને રિમાન્ડની કોઇ જરૂરિયાત નથી. આવું કોંગ્રેસ પાર્ટી પોતાનાં વકીલોનાં માધ્યમથી કોર્ટમાં દલીલો આપી રહી હતી. કોંગ્રેસનો હાથ ક્રિશ્ચિયન મિશેલનાં બચાવ સાથે છે. એ સ્પષ્ટ છે કે મામા ક્રિશ્ચિયન મિશેલને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી ભરપૂર પ્રયાસ કરી રહેલ છે.'
સંબિત પાત્રાનાં આરોપો પર કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષિતે પણ વળતો પલટવાર કર્યો. તેઓએ કહ્યું કે 'સંબિત પાત્રાએ આજે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મને એક વાર કોંગ્રેસમાંથી કાઢી મૂકાયો હતો અને પછી પરત લેવામાં આવ્યો. આ બિલકુલ ખોટી વાત છે. આવું કંઇ જ થયું ન હોતું. હું તેઓને માફી માંગવા માટે ફક્ત 24 કલાકનો સમય આપું છું નહીં તો હું તેઓને કાયદાકીય નોટિસ પાઠવીશ.'
Sambit Patra BJP: The Congress is rattled after the extradition of #ChristianMichel. They sent their team to save Michel. Congress's Aljo Joseph appeared for him in Court they later went through the charade of removing him. The family in Congress is getting sleepless nights pic.twitter.com/216ALcFx7h