ઘનશ્યામ નાયક છેલ્લા કેટલાક સમયથી કેન્સરની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં હતા. તેમના અંતિમ સંસ્કારમાં શોની ટીમ પહોંચી ગઇ હતી.
નટુકાકા વિશે ગોગીએ જણાવી શૉકિંગ વાત
એક્ટરે વ્યક્ત કરી હતી છેલ્લી ઇચ્છા
77 વર્ષની ઉંમરે થયું ઘનશ્યામ નાયકનું દેહાંત
એક્ટરનું દેહાંત
એક્ટર ઘનશ્યામ નાયકનું નિધન 3 ઓક્ટોબરે થયું હતુ. ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા...માં નટુ કાકાનું પાત્ર તેઓ ભજવતા હતા. તેઓ છેલ્લા થોડા સમયથી કેન્સરની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં હતા. તેમના અંતિમ સંસ્કાર દરમિયાન સમય શાહ હાજર હતો જેણે એક શોકિંગ વાત શૅર કરી છે.
સમયે કહી આ વાત
સમય શાહનું કહેવું છે કે, નટુ કાકાને અંતિમ સમયમાં મેક અપ લગાવવામાં આવ્યો હતો. ઘનશ્યામ નાયકની આ છેલ્લી ઇચ્છા હતી, જેને પૂરી કરવામાં આવી હતી. ગોગીએ કહ્યું, 'અમારી ટીમના સૌથી મોટા માણસ હતા અને હું સૌથી નાનો છું. અંદરથી હંમેશા તેમના માટે એક રિસપેક્ટ રહી છે. તે શાનદાર એક્ટર હતા પરંતુ તેનાથી વધારે તે સારા માણસ હતા. તેઓ સેટ પર હંમેશા કહેતા કે હું મરુ તો મને મેક અપ કરજો અને હું એક્ટિંગ કરતા જ મરવા માંગુ છું
77 વર્ષની ઉંમરમાં અવસાન
નટુકાકાનું હંમેશાથી સપનું હતું કે તે એક્ટિંગ કરતાં કરતાં જ દુનિયાને અલવિદા કહી દે અને ખરેખર તેવું જ થયું. તે કેન્સર સામે લડી રહ્યાં હતા તેમ છતાં શૂટિંગ પર આવતા હતા. તે સમયે તે કેવું ફીલ કરી રહ્યાં હતા તેનો ખુલાસો બાઘા ઉર્ફે તન્મય વેકરિયાએ કર્યો છે.
બાઘાએ જણાવી દાસ્તાં
ઘનશ્યામ નાયકની બીમારી દરમિયાન તન્મય તેમના પરિવાર સાથે સંપર્કમાં રહેતો હતો. ઇન્ટરવ્યૂમાં તન્મયે કહ્યું કે, 'તે છેલ્લા 2-3 મહિનાથી ખુબ તકલીફમાં હતા અને મને એવું લાગે છે કે હવે તે સારી જગ્યાએ છે. હું સતત તેમના દિકરા સાથે સંપર્કમાં હતો. તેમણે જણાવ્યું કે નટુકાકા ખુબ દર્દમાં હતા અને તેના કારણે તેઓ અજીબ વ્યવહાર કરવા લાગ્યા હતા. તે ખાવાનું તો દુર પાણી પણ નહોતા પી શકતા. તેઓ ખુબ મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા. એક રીતે હવે તે ભગવાન પાસે સુરક્ષિત છે. તેમની આત્માને શાંતિ મળે.'