જરૂરીયાતમંદ લોકોને અલગ-અલગ પ્રકારના કાપડ ઉત્પાદન અને તેની સાથે જોડાયેલા કામોનું હુનર શિખવાડવા માટે કેન્દ્ર સરકારે સમર્થ યોજના શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સમર્થ યોજનામાં કેન્દ્ર સરકાર હવે ખેડૂતોને પણ જોડી રહી છે.
કાપડ ઉત્પાદન સાથેના કામોનું હુનર શિખવાડવા કેન્દ્રએ શરૂ કરી યોજના
સમર્થ યોજનામાં કેન્દ્ર સરકાર હવે ખેડૂતોને જોડી રહી છે
ખેડૂતોની આવક વધારવા અંગે એક નવી યોજનાની થઈ શકે જાહેરાત
ખેડૂતોની વધશે આવક
જાણકારો જણાવે છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ વખતના બજેટમાં વિજળી ઉત્પાદન વધારવુ, પ્રદૂષણ ઘટાડવુ અને ખેડૂતોની આવક વધારવા સાથે જોડાયેલી એક મિશ્રિત યોજનાની જાહેરાત કરી શકે છે. જાણકારોનું કહેવુ છે કે આ યોજનાને સમર્થ નામ આપવામાં આવ્યું છે. SAMARTH Schemeમાં કોલસામાંથી બનાવેલી વિજળી પરિયોજનાઓમાં 5 ટકા બાયોમાસનો ઉપયોગ ફરજીયાત કરાઈ રહ્યો છે. સરકારના આ પગલાથી ખેડૂતોને વાર્ષિક લગભગ 15,000 કરોડ રૂપિયાની આવક થશે.
પ્રદૂષણથી પણ રાહત
સમર્થ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે જ્યારે પરાલીનો ઉપયોગ વિજળી ઘરોમાં થશે તો તેનાથી દર વર્ષે થતાં વાયુ પ્રદૂષણમાંથી છૂટકારો મળશે. વિજળી ઉત્પાદનની ક્ષમતા વધશે અને વિજળી બનાવવામાં કોલસાની માંગ ઘટશે. સમર્થ યોજના ખેડૂતોને પાકની પરાલીને સળગાવવાને બદલે ભૂસામાં બદલવા માટે પ્રોત્સાહિત કરવાની છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં દર વર્ષે મોટા પાયા પર પરાલી સળગાવવામાં આવે છે. ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં દિલ્હી-એનસીઆરની આસપાસ આકાશમાં છવાયેલી ઝાકળ એક મોટો મુદ્દો બને છે. કહેવાય છે કે આ ધૂમાડો ખેડૂતો દ્વારા અનાજની પરાલી સળગાવવાથી થાય છે. જો કે, સરકારે પરાલી સળગાવવા પર કાયદાકીય પ્રતિબંધ લગાવી દીધો છે. તેમ છતાં ખેડૂત આગામી પાક માટે ખેતર તૈયાર કરવા માટે પરાલી સળગાવી નાખે છે.