સાઉથ ઇન્ડિયન સિનેમાની સુપર સ્ટાર અને ધ ફેમિલીમેન 2થી સૌનું દિલ જીતી ચૂકેલી સામંથા અને તેના પતિ નાગા ચૈતન્ય વચ્ચે સંબંધ બગડ્યા છે તેવી અફવા ઉડી છે.
સામંથા પત્રકાર પર બરાબરની ભડકી
મંદિરમાં ડિવોર્સનો પ્રશ્ન પૂછ્યો હતો
સોશ્યલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
નાગા ચૈતન્ય અને સામંથા થશે જુદા
સામંથા સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના દિકરાની પત્ની છે. હાલમાં જ સામંથાએ ટ્વિટર પર અક્કીનેની સરનેમ હટાવી લેતા લોકો ડિવોર્સની અટકળો લગાવવા લાગ્યા હતા. દરમિયાન એક્ટ્રેસ તિરુપતિ બાલાજી દર્શન કરવા પહોંચી હતી. ત્યારે એક પત્રકારે તેને ડિવોર્સ વિશે પૂછી લીધુ હતુ અને એક્ટ્રેસ તેના પર ભડકી ઉઠી હતી.
સામંથા પત્રકાર પર ભડકી
એક્ટ્રેસ આ અફવા વચ્ચે તિરુપતિ પહોંચી હતી અને કોઇ લોકલ રિપોર્ટરે તેને પ્રશ્ન પુછ્યો ત્યારે સામંથા તેલુગુ ભાષામાં જ સંભળાવવા લાગી કે, હું અહી મંદિરે દર્શન કરવા આવી છુ આ સમયે આવો પ્રશ્ન પુછવો યોગ્ય નથી. તારામાં બુદ્ધિ જેવું છે કે નહી? સામંથાનો આ વીડિયો સોશ્યલ મિડીયા પર આગની જેમ વાયરલ થઇ રહ્યો છે.
ટ્વિટર પરથી હટાવી સરનેમ
સામંથાનું આખુ નામ સામંથા રૂથ પ્રભુ છે, ઇન્સ્ટા પર તેણે આજ નામ રાખ્યુ હતુ પરંતુ ટ્વિટર પર તેણે પતિની સરનેમ લગાવીને સામંથા અક્કીનેની લખ્યું હતું. થોડા દિવસ પહેલા તેણે અકાઉન્ટમાંથી અક્કીનેની સરનેમ હટાવી લીધી હતી. જેથી લોકોએ અંદાજો લગાવ્યો કે બંને વચ્ચે કંઇ ઠીક ચાલી રહ્યું નથી.
અલગ રહે છે કપલ
રિપોર્ટનું જો માનીએ તો સામંથા અને નાગા ચૈતન્ય એકબીજા સાથે વાત નથી કરતા અને અલગ રહે છે. જ્યારથી સરનેમ હટાવી છે ત્યારથી લોકો વચ્ચે કપલ ચર્ચાનો વિષય રહ્યું છે.