સાઉથ એક્ટ્રેસ સામંથા પ્રભુને સ્કીન પ્રોબ્લેમ હોવાના સમાચારો સામે આવ્યા હતા, જેને અભિનેત્રીની ટીમે અફવા જણાવ્યા.
સામંથા પ્રભુને સ્કીનની બીમારી હોવાનાં સમચારો
અભિનેત્રીની ટીમે આ સમાચારને અફવા જણાવ્યા
સોશિયલ મીડિયા પરથી ગાયબ છે સામંથા પ્રભુ
સાઉથ ઇન્ડિયન સિનેમા જગતની જાણીતી એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ આજકાલ પોતાની બીમારીને લઈને ચર્ચામાં છે. રીપોર્ટસ અનુસાર, સામંથા સ્કીનની બીમારીથી ઝઝૂમી રહી છે અને ટે વિદેશ જઈને પોતાનો ઈલાજ કરાવી રહી છે. આ જાણ્યા એક્ટ્રેસનાં ફેન્સ ખૂબ જ પરેશાન થઇ ગયા છે અને એક્ટ્રેસનાં સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન સામંથાની ટીમે તેણી બીમારી વિષે જણાવ્યું છે. હાલમાં જ એક્ટ્રેસની ટીમે ખુલાસો કર્યો છે કે આ સમાચારો સત્ય નથી.
એક્ટ્રેસની ટીમે આપી સ્પષ્ટતા
ગયા ઘણા સમયથી દાવો કરવામાં આવી રહ્યો છે કે સામંથા એક રેર સ્કીન કંડીશનથી પસાર થઇ રહી છે, જે માટે તે વિદશમાં પોતાનો ઈલાજ કરાવી રહી છે. જોકે, હવે સામાંન્થાની ટીમે પ્રતિક્રિયા આપી છે. સામંથાનાં મેનેજર મહેન્દ્રએ આ બધા સમાચારોને અફવા જણાવતા કહ્યું છે કે 'આ બધું માત્ર ગોસીપ છે'. મીડિયા રીપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો હતો કે સામંથાને પોલીમોર્ફ્સ લાઈટ ઈરપ્શન નામની સ્કીન પ્રોબ્લેમ છે. સ્કીનની આ સ્થિતિ સૂરજનાં પ્રકાશમાં વધારે એક્સપોઝરને કારણે થાય છે.
સોશિયલ મીડિયા પરથી ગાયબ
જણાવી દઈએ કે સામંથા પ્રભુ ગત ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પરથી પણ ગાયબ છે. એક્ટ્રેસે 10 સપ્ટેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ કરી હતી અને લગભગ અઠવાડિયા પહેલા તેને પોતાની અપકમિંગ ફિલ્મનું ટીઝર પોસ્ટ કર્યું હતું. સામંથા છેલ્લી વાર અક્ષય કુમાર સાથે કરણ જોહરના શો કોફી વિથ કરનમાં જોવા મળી હતી. સામંથા લાંબા સમયથી સોશિયલ મીડિયાની સાથે સાથે પબ્લિક અપીરંસથી પણ ગાયબ છે. આવામાં ફેન્સ સામંથાની હેલ્થને લઈને ચિંતિત છે.