સાઉથ સિનેમાનું ફેવરીટ દંપત્તિ નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુએ થોડા દિવસ પહેલાં જ પોતે અલગ થયા હોવાના અહેવાલ પર મ્હોર મારી દીધી હતી. તેમણે સોશિયલ મીડિયામાં એક જેવી પોસ્ટ શેર કરી પોતાની વાત પ્રશંસકો સમક્ષ મુકી હતી. ત્યારબાદ પિતા અને અભિનેતા નાગાર્જુને પણ લાગણીશીલ પોસ્ટ લખી દુ:ખ દર્શાવ્યું છે.
હવે સામંથાએ સોશિયલ મીડિયા પર બદલ્યું પોતાનું નામ
સામંથાએ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નામ બદલ્યું
સામંથાએ અક્કિનેની પરિવાર તરફથી પૈસા લેવાનો કર્યો ઈન્કાર
સામંથાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાનું નામ બદલ્યું
તો હવે સાઉથની સુપરસ્ટારે પતિથી અલગ થયા બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાનું નામ પણ બદલી નાખ્યું છે. સામંથા પ્રભુએ નાગા ચૈતન્યની સાથે સંબંધમાં રહીને પણ પોતાના નામની પાછળ તેની સરનેમ અક્કિનેની હટાવીને એસ કરી દીધી હતી. જે હવે પતિથી અલગ થયા બાદ હવે તેમણે બદલીને સામંથા કરી નાખ્યું છે. તેમણે પોતાના નામનો ફેરફાર ફક્ત ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્યો છે. જ્યારે ફેસબુક પર તેમનું નામ હજી પણ સામંથા અક્કિનેની છે. બંને અચાનક અલગ થયા જેનાથી તેમના પ્રશંસકોને આઘાત લાગ્યો છે.
સામંથાએ રૂપિયા લેવાનો કર્યો ઈન્કાર
જો મીડિયા રિપોર્ટનું માનીએ તો સામંથાને અક્કિનેની પરિવાર તરફથી 50 કરોડનું ભરણપોષણ મળવાનુ હતુ. પરંતુ તેમના તરફથી 200 કરોડની ઓફર કરવામાં આવી. અભિનેત્રીએ આ ઓફરનો ઈન્કાર કર્યો અને કહ્યું કે તે અક્કિનેની પરિવાર તરફથી એક રૂપિયો લેવા માંગતી નથી.
સામંથાને પણ ખૂબ દુ:ખ થયુ
અભિનેત્રીના સુત્રો મુજબ, કહેવામાં આવી રહ્યું છે કે સામંથા માટે સરળ નહોતુ કે તેઓ દરરોજ ઉઠે અને કામ પર જાય. તેમને પણ ખૂબ દુ:ખ થયુ છે. પરંતુ તેઓ ઈચ્છતી નથી કે કોઈ પણ પ્રોજેક્ટ જેની સાથે તેઓ જોડાયેલા હોય અને પોતાના પર્સનલ જીવનના કારણે તેમને નુકસાન ઉઠાવવુ પડે. સામંથા શરૂઆતથી જ ખૂબ પ્રોફેશનલ રહી છે અને તે આ સ્થિતિથી આગળ વધવા માંગે છે.